પાંજરાપોળમાંથી મૂંગા પશુઓની ચોરી કરનાર સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો દાખલ
પાંજરાપોળમાંથી મૂંગા પશુઓની ચોરી કરનાર સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો દાખલ
Published on: 17th September, 2026

વડોદરાની શ્રી વડોદરા પાંજરાપોળમાંથી નડિયાદ રૂરલ પોલીસ દ્વારા જપ્ત કરાયેલા 1020 બકરાં પૈકી 12 બકરાંની ચોરી કરવાનો ઘટસ્ફોટ થયો છે. સિક્યુરિટી ગાર્ડ જગદીશ હરસિંગભાઈ રાઠવાએ પૈસાની જરૂરિયાતને કારણે રાત્રિ દરમિયાન 10 બકરાં ચોરીને મિત્રને વેચી દીધા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ચોરાયેલા બકરાંની કિંમત અંદાજે રૂ. 76,960 છે.