વલસાડમાં જૈન સમાજની શોભાયાત્રામાં સાંસદ ધવલભાઈ પટેલ જોડાયા
વલસાડમાં જૈન સમાજની શોભાયાત્રામાં સાંસદ ધવલભાઈ પટેલ જોડાયા
Published on: 16th September, 2026

વલસાડમાં જૈન સમાજ દ્વારા આયોજિત ભક્તિમય શોભાયાત્રામાં સાંસદ ધવલભાઈ પટેલ પ્રભુભક્તો સાથે જોડાયા હતા. તેમણે ભગવાન મહાવીરના ચરણોમાં નમન કરીને સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આ શોભાયાત્રા ભગવાન મહાવીરના અહિંસા, સત્ય અને કરુણાના સંદેશને જીવનમાં અપનાવવાની પ્રેરણા આપનારી હતી. જૈન સમાજની ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિ દર્શાવતી આ યાત્રાએ ભક્તિ, શ્રદ્ધા અને સામાજિક એકતાનો સારો સંદેશ આપ્યો.