વડોદરામાં પુરુષોત્તમ માસમાં અપનાઘર આશ્રામમાં અનોખી ભૂ-સમાધિ તપસ્યા યોજાઈ
વડોદરામાં પુરુષોત્તમ માસમાં અપનાઘર આશ્રામમાં અનોખી ભૂ-સમાધિ તપસ્યા યોજાઈ
Published on: 29th May, 2026

વડોદરાના અપનાઘર આશ્રામ, ગોકુલપુરા ખાતે પુરુષોત્તમ માસ નિમિત્તે મહામંડલેશ્વર કર્મયોગી સંજયગિરીજી મહારાજ ગુરુ મહાયોગી પાયલોટ બાબાની ભૂ-સમાધિ તપસ્યા ચાલી રહી છે. વિરલ ચૌધરી અને અરવિંદભાઈ બ્રહ્મભટ્ટના નિમંત્રણથી ચાલી રહેલી આ તપસ્યાનો આજે ત્રીજો દિવસ છે. મહારાજ અનેક કલાકો સુધી મૌન સાધના અને ધ્યાનમાં તપસ્યા કરી રહ્યા છે. તાજેતરમાં ૨૫ મેના રોજ બે કલાક, ૨૬ મેના રોજ ત્રણ કલાક અને આજે સવારે ત્રણ કલાકની સમાધિ લીધી હતી.