સાવલીના પૌરાણિક ભીમનાથ મહાદેવ ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી
સાવલીના પૌરાણિક ભીમનાથ મહાદેવ ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી
Published on: 28th July, 2026

સાવલી સ્થિત પૌરાણિક શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. આ કાર્યક્રમમાં સુમધુર શહેનાઈ વાદન, ભક્તિમય સંગીત અને પ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજનોની રજૂઆત થશે. પૂ. સ્વામીજીની સમાધિ સમક્ષ ગુરુ પાદુકા પૂજન અને હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરાયું છે. દેશ-વિદેશથી આવતા હજારો ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ છે. સંધ્યાકાળે દિવ્ય મહા આરતી યોજાશે, જે મહોત્સવની પૂર્ણાહુતિ કરશે. મંદિર પરિસરને રોશની અને પુષ્પોથી શણગારવામાં આવશે.