દેવઊઠી એકાદશી સુધી રોજ 108 વૃક્ષારોપણ
દેવઊઠી એકાદશી સુધી રોજ 108 વૃક્ષારોપણ
Published on: 25th July, 2026

વડોદરાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતેના વિરાટ નારાયણ વનમાં પૂ.નારાયણ બાપુના માર્ગદર્શન હેઠળ આગામી 25 જુલાઈથી 20 નવેમ્બર, દેવશયની એકાદશીથી દેવઉઠી અગિયારસ સુધી, પવિત્ર ચાતુર્માસ દરમ્યાન રોજ 108થી વધુ વૃક્ષારોપણનો દિવ્ય સંકલ્પ લેવાયો છે. આ માત્ર વૃક્ષારોપણ નથી, પરંતુ પ્રકૃતિ, પ્રાણી, પક્ષી, ગૌસેવા અને સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટેનો હરિત યજ્ઞ છે. આ દરમિયાન નિત્ય વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ પણ કરાશે, જેનાથી વનમાં સાત્વિક ચૈતન્ય અને આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થશે.