સુરતમાં ખાડીપુર નિવારવા મુખ્યમંત્રીના 500 કરોડની જાહેરાત બાદ બે કમિટીઓની રચના
સુરતમાં ખાડીપુર નિવારવા મુખ્યમંત્રીના 500 કરોડની જાહેરાત બાદ બે કમિટીઓની રચના
Published on: 25th July, 2026

સુરતમાં દર વર્ષે ખાડીપૂરના કારણે સર્જાતી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કાયમી ઉકેલ તરફ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી દ્વારા 500 કરોડની જાહેરાત બાદ સુરત માટે રાજ્ય અને શહેર સ્તરે અલગ-અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે. ખાડીપૂર નિવારણ માટે ડીપીઆર અને માસ્ટર પ્લાન તૈયાર કરી ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના ઉપાયો અમલમાં મૂકવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્ય સ્તરે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય મોનિટરિંગ કમિટી અને શહેર સ્તરે પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સિટી લેવલ કમિટીનું ગઠન કરાયું છે.