અમદાવાદમાં જળબંબાકાર: સાબરમતીમાં 11 લોકોને સુરક્ષિત બચાવાયા
અમદાવાદમાં જળબંબાકાર: સાબરમતીમાં 11 લોકોને સુરક્ષિત બચાવાયા
Published on: 25th July, 2026

ગુજરાતમાં સતત વરસાદી આફત વચ્ચે અમદાવાદમાં સ્થિતિ બેહાલ છે. ધોધમાર વરસાદ બાદ સાબરમતી વિસ્તારમાં જળબંબાકાર સર્જાયો હતો. ફાયર વિભાગે સમયસર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ઘરોમાં ફસાયેલા 11 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. ભારે વરસાદના કારણે ઘરોમાં છાતી સમા પાણી ભરાઈ જતાં લોકો ફસાયા હતા. ફાયર વિભાગની સમયસર કામગીરીથી કોઈ જાનહાનિ ટળી હતી અને લોકોને મોટી રાહત મળી હતી.