સુરેન્દ્રનગરના તરણેતર લોકમેળાનો ભવ્ય પ્રારંભ
સુરેન્દ્રનગરના તરણેતર લોકમેળાનો ભવ્ય પ્રારંભ
Published on: 11th September, 2026

સુરેન્દ્રનગરના પાંચાળ વિસ્તારમાં ત્રિનેત્રેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો શરૂ થયો છે. આ ચાર દિવસીય મહોત્સવમાં રંગ, રાસ અને લોકસંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ મેળાની મોજ માણવા ઉમટી પડશે. મેળામાં પરંપરાગત પહેરવેશ, ગ્રામ્ય રમતો, હુડો રાસ, ભજન, ભોજન અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે લોકસંસ્કૃતિને જીવંત રાખે છે.