જન્માષ્ટમી પર્વ નિમિત્તે આણંદ-ડાકોર વચ્ચે ખાસ ટ્રેન
જન્માષ્ટમી પર્વ નિમિત્તે આણંદ-ડાકોર વચ્ચે ખાસ ટ્રેન
Published on: 03rd September, 2026

આવતીકાલે જન્માષ્ટમી પર્વની ઉજવણીને પગલે ડાકોરમાં ભક્તોની ભારે ભીડ ઉમટવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે આણંદ-ડાકોર વચ્ચે ખાસ ભાડા સાથે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન 4 સપ્ટેમ્બર, 2026ના રોજ રાત્રે 10.20 વાગ્યે આણંદથી ઉપડશે અને 5 સપ્ટેમ્બર, 2026ના રોજ રાત્રે 2 વાગ્યે ડાકોરથી પરત ફરશે. આ ખાસ ટ્રેન ઉમરેઠ રેલવે સ્ટેશન પર પણ રોકાશે.