કેરલના CM વી.ડી. સતીસન મુસ્લિમ ધર્મગુરુ પર ભડક્યા
કેરલના CM વી.ડી. સતીસન મુસ્લિમ ધર્મગુરુ પર ભડક્યા
Published on: 02nd September, 2026

કેરલના મુખ્યમંત્રી વી.ડી. સતીસને સુન્ની ઇસ્લામિક વિદ્વાન કંઠપુરમ એ.પી. અબુબકર મુસલિયારના મહિલાઓએ ઘરની મર્યાદામાં રહેવાના નિવેદનનો સખત વિરોધ કર્યો છે. સતીસને જણાવ્યું કે આ માનસિકતા કેરલમની પ્રગતિશીલ પરંપરા સાથે સુસંગત નથી. તેમણે ઇસ્લામિક ઇતિહાસમાંથી મહિલાઓના શાસક, વેપારી અને લશ્કરી નેતૃત્વના ઉદાહરણો ટાંકીને દલીલ કરી કે મહિલાઓએ જીવનના દરેક ક્ષેત્રમાં ભાગ લેવો જોઈએ. તેમણે કહ્યું કે આવી રૂઢિચુસ્ત વિચારધારા સાથે કોઈપણ રીતે સહમત થઈ શકાય નહીં.