જન્માષ્ટમીએ જાણી લો પૂજાનો મૂહુર્ત
જન્માષ્ટમીએ જાણી લો પૂજાનો મૂહુર્ત
Published on: 03rd September, 2026

આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 4 સપ્ટેમ્બરે ઉજવાશે. અષ્ટમી તિથિ 3 સપ્ટેમ્બરની મોડી રાત્રે શરૂ થઈ 4 સપ્ટેમ્બરે રાત્રે 12:13 સુધી રહેશે. ભગવાન શ્રીકૃષ્ણની પૂજાનું શુભ મુહૂર્ત રાત્રે 11:26થી 12:11 સુધીનું રહેશે. આ વખતે જન્માષ્ટમી જયંતી યોગમાં હોવાથી વિશેષ શુભ માનવામાં આવે છે. રોહિણી નક્ષત્ર અને શુભ ગ્રહસ્થિતિને કારણે પૂજાનું મહત્વ વધ્યું છે. ભક્તોએ રાત્રે ભગવાનને માખણ-મિશ્રીનો ભોગ ધરાવી શણગાર અને પૂજા કરવી, જ્યારે વ્રત કરનારાઓ 5 સપ્ટેમ્બરે પારણાં કરશે.