મોહન ભાગવતનો પ્રિયાંક ખડગેને જવાબ: હિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી.
મોહન ભાગવતનો પ્રિયાંક ખડગેને જવાબ: હિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી.
Published on: 16th June, 2026

કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગે દ્વારા RSS ની કાનૂની સ્થિતિ અને આર્થિક વ્યવહારો પર ઉઠાવેલા સવાલોને RSS પ્રમુખ મોહન ભાગવતે સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ભાગવતે આ માંગણીને માત્ર 'રાજકીય પબ્લિસિટી સ્ટંટ' ગણાવીને કહ્યું કે RSS હંમેશા પારદર્શક રીતે કામ કરે છે અને આવા રાજકીય હુમલાઓ નવા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે દેશમાં 'હિન્દુ ધર્મ' જેવી અનેક મહત્વપૂર્ણ બાબતો પણ નોંધાયેલી નથી, અને RSS કોઈ સરકારી ફંડ લેતું નથી, તેથી નોંધણીની જરૂર નથી.