રાખડી બાંધવાનો શુભ સમય અને ભદ્રાકાળની ચિંતાઓ
રાખડી બાંધવાનો શુભ સમય અને ભદ્રાકાળની ચિંતાઓ
Published on: 26th August, 2026

રક્ષાબંધન 2026, 28મી ઓગસ્ટના રોજ ઉજવાશે, પરંતુ શુભ મુહૂર્ત સવારે 9:48 AM સુધી જ છે. શ્રાવણ પૂર્ણિમા તિથિ 27મી ઓગસ્ટે સવારે 9:08 વાગ્યે શરૂ થઈ 28મી ઓગસ્ટે સવારે 9:48 વાગ્યે સમાપ્ત થશે. ભદ્રાકાળ ટાળીને રાખડી બાંધવી શુભ મનાય છે, પરંતુ આ વર્ષે સમય ખૂબ મર્યાદિત છે. જેઓ આ સમયમર્યાદામાં રાખડી ન બાંધી શકે, તેઓ રાહુકાળ અને યમગંડ ટાળીને અન્ય શુભ ચોઘડિયાંમાં બાંધી શકે છે.