જાંબુઘોડાના મંગલેશ્વર મંદિરે ગૌરીવ્રતના શુભારંભે કન્યાઓએ કરી ભક્તિસભર પૂજા
જાંબુઘોડાના મંગલેશ્વર મંદિરે ગૌરીવ્રતના શુભારંભે કન્યાઓએ કરી ભક્તિસભર પૂજા
Published on: 28th July, 2026

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંગલેશ્વર મહાદેવ મંદિરમાં ગૌરીવ્રતના પ્રથમ દિવસે અનેક કુંવારી કન્યાઓએ શ્રદ્ધા અને ભક્તિ સાથે મહાદેવજીની પૂજા કરી હતી. આ ધાર્મિક પ્રસંગે, ગૌરીવ્રતનું અનુષ્ઠાન કરતી દીકરીઓને પ્રસાદ રૂપે સુકામેવા અર્પણ કરી તેમનું વિધિવત પૂજન કરાયું હતું. આ પ્રસંગે જાંબુઘોડાના સરપંચ જીતકુમાર દેસાઈ, ભાજપા મંડળ પ્રમુખ રણજીતભાઈ બારીયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કન્યાઓને આશીર્વાદ આપી ગૌરીવ્રતના મહત્વ વિશે જણાવ્યું.