નવસારીના બ્રહ્માકુમારી કેન્દ્રમાં રક્ષાબંધન પર્વની આધ્યાત્મિક ભાવના સાથે ઉજવણી
નવસારીના બ્રહ્માકુમારી કેન્દ્રમાં રક્ષાબંધન પર્વની આધ્યાત્મિક ભાવના સાથે ઉજવણી
Published on: 28th August, 2026

નસવાડી ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. બ્રહ્માકુમારી મંજુલાબેને ભાઈઓને રાખડી બાંધી શુભેચ્છા આપી. તેમણે સમજાવ્યું કે રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના સંબંધનું પ્રતીક નથી, પરંતુ પવિત્રતા, પ્રેમ, સદભાવના અને સારા સંકલ્પો સાથે જીવનને જોડવાનો દિવસ છે. રાખડી નિઃસ્વાર્થ પ્રેમ દર્શાવે છે. તેમણે દરેક વ્યક્તિને નકારાત્મક વિચારો અને ખરાબ આદતોથી રક્ષણ મેળવી સદગુણો તથા આધ્યાત્મિક મૂલ્યો અપનાવવાનો સંકલ્પ કરવા પ્રેર્યા.