ટ્રેક પર ઊંટ મળતાં લોકોપાઇલટે ઇમરજન્સી બ્રેક મારી
ટ્રેક પર ઊંટ મળતાં લોકોપાઇલટે ઇમરજન્સી બ્રેક મારી
Published on: 04th September, 2026

પોરબંદરના વાંસજાળિયા–રાણાવાવ રેલખંડમાં વહેલી સવારે રેલવે ટ્રેક પર ઊંટ બેઠેલો દેખાતાં લોકોપાઇલટની સતર્કતાથી સંભવિત મોટો અકસ્માત ટળી ગયો હતો. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ વાંસજાળિયા નજીક બ્રિજ નં. 95 પરથી પસાર થઈ રહી હતી ત્યારે લોકોપાઇલટ કાલિદાસ અને સહાયક લોકોપાઇલટ જગદીશ સાહુએ ટ્રેક પર ઊંટને જોયો. બંનેએ તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દીધી. ઊંટ બ્રિજના વચ્ચે ફસાયેલો હતો. રેલવે અધિકારીઓએ ક્રેનની મદદથી ઊંટને સુરક્ષિત બહાર કાઢ્યો. આશરે 4 કલાક બાદ ટ્રેક ક્લિયર થયો, જેના કારણે બે પેસેન્જર ટ્રેન રદ અને ચાર મોડી પડી.