નર્મદા ડેમમાં પાણીની બમ્પર આવક
નર્મદા ડેમમાં પાણીની બમ્પર આવક
Published on: 06th September, 2026

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર Narmada Damમાં ઉપરવાસના વરસાદને કારણે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં 58,525 ક્યુસેક પાણીની આવક સાથે ડેમની જળસપાટી 135.75 મીટરે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 12 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ડેમમાં 7920 MCM લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે, જે આગામી સમયમાં પીવાના અને સિંચાઈના પાણીનું સંકટ દૂર કરશે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.