ખરીફ પાક બચાવવા નર્મદા અને સુજલામ-સુફલામ યોજનાથી સિંચાઈ માટે પાણી અપાશે
ખરીફ પાક બચાવવા નર્મદા અને સુજલામ-સુફલામ યોજનાથી સિંચાઈ માટે પાણી અપાશે
Published on: 06th September, 2026

અલ નીનોની સ્થિતિને કારણે ગુજરાતમાં પાણીની અછત વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ખરીફ પાકને બચાવવા માટે નર્મદા યોજના અને સુજલામ-સુફલામ યોજના દ્વારા સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવા ત્રણ મુખ્ય નિર્ણયો લેવાયા છે. જેમાં મહી કમાન્ડ વિસ્તાર, જામનગર-દેવભૂમિ દ્વારકા અને ઉત્તર ગુજરાતને પાણીનો પુરવઠો વધારવામાં આવશે. મુખ્ય પ્રધાને પીવાના પાણીને પ્રાથમિકતા આપવા અને જળ સંરક્ષણ પર ભાર મૂક્યો છે.