Menu
ત્રિવેણી કાર્યક્રમ: શાળાના ત્રિવેણી કાર્યક્રમમાં સ્મૃતિગ્રંથ વિમોચન, ગુરુવંદના
ત્રિવેણી કાર્યક્રમ: શાળાના ત્રિવેણી કાર્યક્રમમાં સ્મૃતિગ્રંથ વિમોચન, ગુરુવંદના
Published on: 15th June, 2025

લાખવડની આદર્શ વિદ્યાલય ખાતે ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્મૃતિ ગ્રંથ વિમોચન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને ગુરુવંદના યોજાઈ હતી. કાર્યક્રમમાં ડો.અનિલભાઈ નાયકે શાળામાં વિતાવેલા દિવસોની યાદ તાજી કરી હતી અને સહધ્યાયીઓ અને ગુરુજીઓ સાથેના અનુભવો શેર કર્યા હતા. પૂર્વ સાંસદ જુગલજીએ શિક્ષણને મહત્વ આપવાની વાત કરી. મનુભાઈ ચોકસીએ કહ્યું કે, પૈસા છે પણ પ્લાનિંગ નથી. મહેનતના પૈસા અન્નદાનના નામે ઉજમણા બારમાં ખર્ચાય છે. સાચું અન્નદાન એ છે કે ગામની વિધવા બહેનોને, જેમના ઘરમાં કમાવનાર નથી, તેમને બેમણ અનાજ આપવું જોઈએ. મંદિરમાં આરતી વખતે ઘંટ વગાડવા કોઈ નથી હોતું, તો આવા મંદિરો શા માટે? કોઈ ગરીબ વિદ્યાર્થીને દત્તક લઈ ભણાવવો એ સાચું વિદ્યાદાન છે. જે જીવનભર તૃપ્તિ આપશે. હવે શિક્ષણ અને આરોગ્યના મંદિરો ઊભા કરવાની જરૂર છે. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સોમભાઈ અને મંત્રી દ્વારા મનુભાઈ ચોકસીને સ્વાગત અપાયું.