મહીસાગર: કોઠંબા સહિત સમગ્ર તાલુકામાં ભક્તિભાવ સાથે અલૂણા ગૌરીવ્રતનો પ્રારંભ થયો
મહીસાગર: કોઠંબા સહિત સમગ્ર તાલુકામાં ભક્તિભાવ સાથે અલૂણા ગૌરીવ્રતનો પ્રારંભ થયો
Published on: 28th July, 2026

ચાતુર્માસ માસના પવિત્ર દિવસોમાં, કોઠંબા તાલુકામાં મનના માણીગરને પામવા માટે દેવાધિદેવ મહાદેવની શ્રદ્ધાભેર પૂજા-અર્ચના કરીને કુંવારિકાઓ અને મહિલાઓએ અલૂણા ગૌરીવ્રતનો પ્રારંભ કર્યો છે. કોઠંબા રાધાકૃષ્ણ મંદિરમાં વહેલી સવારે આ વ્રતની શરૂઆત કરવામાં આવી હતી. તાલુકાની તમામ ગામોની શાળાઓ, ઘરો અને મંદિરોમાં નાની બાળકીઓથી લઈને યુવતીઓએ ગૌરી માતાની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરી છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ વ્રતમાં સારા વરની કામના સાથે ગૌરી માતાની પૂજા થાય છે.