લાખો ભક્તો અંબાજી પદયાત્રાએ
લાખો ભક્તો અંબાજી પદયાત્રાએ
Published on: 17th September, 2026

ભાદરવી પૂનમે અંબાજી પદયાત્રા માટે નીકળેલા લાખો શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. મોડાસા રોડથી રણુજા જતા તેમજ અંબાજીના માર્ગો પર પદયાત્રીઓની ભીડ જામી છે. ૨૬મીએ પૂનમ છે. અમદાવાદથી નીકળતા સંઘો ૧૨-૧૫ દિવસમાં જ્યારે નાના ગ્રુપ ૭-૮ દિવસમાં પદયાત્રા પૂર્ણ કરે છે. સંઘો પોતાની ભોજન અને રહેવાની વ્યવસ્થા સાથે ચાલે છે, જ્યારે નાના ગ્રુપમાં ભક્તિ અને અંબે જયકારનો માહોલ હોય છે. હવે રસ્તા સુવિધાયુક્ત બન્યા છે અને અનેક સેવા કેન્દ્રો ભક્તોને રહેવા, જમવા અને અન્ય સુવિધાઓ પૂરી પાડે છે.