હરિદ્વારથી ઈડર મુડેટીના યુવાનોની 1101 કિલોમીટરની ભક્તિપૂર્ણ કાવડયાત્રા
હરિદ્વારથી ઈડર મુડેટીના યુવાનોની 1101 કિલોમીટરની ભક્તિપૂર્ણ કાવડયાત્રા
Published on: 27th July, 2026

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર, ઈડર તાલુકાના મુડેટી ગામના ચાર યુવાનો શનિવારે હરિદ્વારથી 21 લિટર પવિત્ર ગંગાજળ લઈને આશરે 1101 કિલોમીટરની પગપાળા કાવડયાત્રાએ નીકળ્યા છે. ધવલ ચૌધરી (ભોલા) અને તેના સાથી મિત્રો 26 કિલો વજન સાથે 38 દિવસ સુધી શિવજીના નામનો જાપ કરતાં યાત્રા કરશે. આગામી 31મી ઓગસ્ટે, શ્રાવણ માસના ત્રીજા સોમવારે, તેઓ મુડેટી પહોંચી વિશ્વનાથ મહાદેવ અને વૈજનાથ મહાદેવ મંદિરમાં જલાભિષેક કરશે. આ યાત્રા શ્રદ્ધા, સંકલ્પ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે.