ગોધરામાં ગૌરી વ્રતનો પ્રારંભ: કુંવારિકાઓ ભોળાનાથની પૂજા માટે શિવાલયોમાં ઉમટી
ગોધરામાં ગૌરી વ્રતનો પ્રારંભ: કુંવારિકાઓ ભોળાનાથની પૂજા માટે શિવાલયોમાં ઉમટી
Published on: 28th July, 2026

ગોધરા અને પંચમહાલ જિલ્લામાં આજે જયા પાર્વતી અને ગૌરી વ્રતનો શુભારંભ થયો છે. કુંવારિકાઓએ પૂજાપો, શણગારેલી જ્વારાની ટોપલીઓ, કાજુ, બદામ, અખરોટ, રેવડી, આલુ, ફ્રાળી ચોકલેટ, કેળા અને બટાકાની વેફર જેવી સામગ્રીની ખરીદી કરી હતી. આજે વહેલી સવારથી ગોધરાના વિવિધ શિવાલયોમાં કુંવારિકાઓ ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના માટે ઉમટી પડી હતી. પૂજારીઓએ તેમને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરાવી હતી. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અનેક સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા પણ દાન-પુણ્યની પ્રવૃત્તિઓ યોજાઈ હતી.