દહેગામમાં જૈન મુનિ મૃદુરત્નસાગર સૂરિશ્વરજી મ.સા.નું ભવ્ય સ્વાગત
દહેગામમાં જૈન મુનિ મૃદુરત્નસાગર સૂરિશ્વરજી મ.સા.નું ભવ્ય સ્વાગત
Published on: 27th July, 2026

દહેગામ શહેરમાં આજે જૈન મુનિ મહારાજનુ ભવ્ય સ્વાગત સાથે આગમન થયું. જૈન મહારાજ દ્વારા દહેગામ ખાતે ચાતુર્માસ કરવામાં આવનાર હોવાથી પ્રવેશ પ્રસંગે દેશભરમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા. શહેરમાં જૈન સંઘ અને ભક્તો દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી ભવ્ય સ્વાગત કરાયુ. રાજમાર્ગો પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વાગડ વિભુષણ જૈન આચાર્ય મૃદુરત્ન સાગર સુરીશ્વરજી મહારાજ, તપસ્વી મુની મોક્ષ રત્ન સાગરજી મહારાજ, મુનિ પવિત્રરત્ન સાગરજી મહારાજ તેમજ સાધ્વીજી સ્વર્ણજ્યોતિશ્રીજી મહારાજ આદિ થાણા-4 નો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો હતો.