ઈદે મિલાદની શાંતિપૂર્ણ ઉજવણી માટે ડભોઇમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ઈદે મિલાદની શાંતિપૂર્ણ ઉજવણી માટે ડભોઇમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Published on: 24th August, 2026

ડભોઇ પોલીસ સ્ટેશન દ્વારા આગામી ઈદે મિલાદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ડી.વાય.એસ.પી. આકાશ પટેલ અને પી.આઈ. એ.ટી.પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ બેઠકમાં તહેવારની શાંતિ અને ભાઈચારાપૂર્ણ ઉજવણી માટે જરૂરી સૂચનો અપાયા. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગેવાનોને પોલીસ તંત્ર સાથે સહકાર આપવાની અપીલ કરવામાં આવી. આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.