અયોધ્યા રામ મંદિરના CEO બન્યા રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા
અયોધ્યા રામ મંદિરના CEO બન્યા રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા
Published on: 02nd September, 2026

અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રિટાયર્ડ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને રામ મંદિરના પ્રથમ CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાએ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી છે. આ સાથે, ટ્રસ્ટમાં ત્રણ નવા સભ્યો - મદન મોહન પાંડે, મહેશ ભાગચંદકા અને નિર્મલા યાદવનો સમાવેશ કરાયો છે. ભૂતપૂર્વ મહાસચિવ અને ટ્રસ્ટીના રાજીનામા બાદ, વહીવટી કામગીરી સુધારવા અને ટ્રસ્ટની છબી બહેતર બનાવવા માટે CEOની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પદ માટે 5585 અરજીઓમાંથી 16 ઉમેદવારોના ઇન્ટરવ્યુ બાદ આ નિર્ણય લેવાયો.