બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના બંધ ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યા
બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના બંધ ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યા
Published on: 23rd August, 2026

બાંગ્લાદેશના રંગપુર શહેરમાં એક હિન્દુ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યા છે. નિવૃત્ત શિક્ષક, તેમની પત્ની, દીકરી અને 12 વર્ષના દીકરાના મૃતદેહ બંધ ઘરમાંથી મળ્યા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં ગળું દબાવીને હત્યાની શંકા છે. મૃતદેહો ઘરના જુદા જુદા ભાગોમાંથી મળી આવ્યા હતા. ગુરુવારથી પરિવારના ફોન બંધ હતા, જેના કારણે સંબંધીઓએ પોલીસને જાણ કરી. CID અને પોલીસની સંયુક્ત ટીમ આ રહસ્યમય ઘટનાની તપાસ કરી રહી છે.