ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલો જૈશનો અડ્ડો પાકિસ્તાની સરકારી ફંડિંગથી ફરી ધમધમતો
ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલો જૈશનો અડ્ડો પાકિસ્તાની સરકારી ફંડિંગથી ફરી ધમધમતો
Published on: 23rd August, 2026

ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર' દરમિયાન તબાહ થયેલું જૈશ-એ-મોહમ્મદનું બહાવલપુર સ્થિત મથક પાકિસ્તાની સરકારી ફંડિંગ (આશરે ₹25 કરોડ) ની મદદથી પુનઃનિર્માણ (રી-કન્સ્ટ્રક્શન) પામીને ફરી સક્રિય થયું છે. ગુપ્તચર એજન્સીઓના સૂત્રો અનુસાર, આતંકીઓએ પોતાના આ ઠેકાણાનું સમારકામ, પ્લાસ્ટર, કલર અને માર્બલ ફિટિંગનું કામ પૂરું કરી લીધું છે. આશરે 15 મહિના પહેલા ભારતે કરેલી એરસ્ટ્રાઈકમાં આ ઠેકાણાને ભારે નુકસાન થયું હતું, જેમાં મસૂદ અઝહરના પરિવારજનો સહિત ઘણા લોકો માર્યા ગયા હતા.