ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક ૧૩ પર પહોંચ્યોં
ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક ૧૩ પર પહોંચ્યોં
Published on: 23rd August, 2026

ભાવનગરના નકલી દારૂકાંડમાં મોતનો આંકડો ૧૩ પર પહોંચ્યો છે. આજે મહીસાગરના મુકેશ ડામોર અને ભાવનગરની ખાનગી બેન્કમાં ફરજ બજાવતા ભાર્ગવ ઉપાધ્યાયના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૬૧ લોકોની તબિયત લથડી છે, જેમાં ૧૦ લોકોની સ્થિતિ અત્યંત નાજુક અને ગંભીર છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ૨૧ લોકો સામે ગુનો નોંધી ૧૩ આરોપીઓને જેલહવાલે કર્યા છે. મુખ્ય આરોપી ‘રઈશ’ના ૩૧મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. આ ઘટનામાં મિથેનોલનો ઉપયોગ થયો હોવાની આશંકા છે.