નવ પરિણીતાએ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નવ પરિણીતાએ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Published on: 23rd August, 2026

જામનગરના કર્મચારીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય નવ પરિણીતા મનિષાબેન દિનેશભાઈ બારિયાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પંચ ‘બી’ ડિવિઝન પોલીસે અકુદરતી મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૃતકના પતિ દિનેશભાઈ બારિયાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃત્યુના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે.