Menu
ફોટોસ્ટોરી: પાંડવ કાળના શિવાલયનું અનેરૂં મહાત્મ્ય, પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણએ શિવલીંગ પર સવા લાખ કમળ ચઢાવીને પૂજાવિધી કરી હતી
ફોટોસ્ટોરી: પાંડવ કાળના શિવાલયનું અનેરૂં મહાત્મ્ય, પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણએ શિવલીંગ પર સવા લાખ કમળ ચઢાવીને પૂજાવિધી કરી હતી
Published on: 15th June, 2025

પોરબંદરથી 30 કિલોમીટર દૂર આવેલા બિલેશ્વર ગામના બિલનાથ મહાદેવ મંદિર પ્રત્યે શિવભકતોને અનેરી શ્રધ્ધા છે. સ્વયંભૂ બિલનાથ મહાદેવ દાદાનું આ મંદિર આશરે 1300 વર્ષથી પણ વધુ જુનું અને પૌરાણિક છે. પૌરાણિક કથા અનુસાર આ મંદિરની પ્રથમ પૂજા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ઘરે પુત્ર પ્રાપ્તીના હેતુથી કરેલ હતી. પુત્ર પ્રાપ્તી માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલીંગ પર સવા લાખ કમળ ચડાવી પુજા કરી હતી. આ સમયે પૂજામાં શુધ્ધ જળ ચડાવવા માટે સ્વયં માતા ગંગાને આહવાન કરી પ્રગટ કર્યા હતા. માટે અહીં બિલનાથ મહાદેવના શિવલીંગ પાછળ માતા ગંગા અને પાર્વતી પણ સાથે બિરાજમાન છે. ઉપરાંતમાં પૂજનવિધી સમયે સવા લાખ કમળ ચડાવતા સમયે એક કમળ ઓછું પડયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું નેત્ર કટાર વડે કાઢવા જતા સમયે ભગવાન શિવ પ્રસન્ન થયા અને શ્રી કૃષ્ણને પુત્ર પ્રાપ્તિ સાથે અનેક વરદાનો આપ્યા હતા. આ વરદાનથી ભગવાન શ્રી કૃષ્ણના ઘરે પુત્રની પ્રાપ્તિ થઇ હતી. બિલેશ્વર ગામમાં જ બિલનાથ મહાદેવ નજીક બિલ્વગંગા નદી આવેલી છે. ત્યાં અસંખ્ય બિલીપત્રના વૃક્ષો છે, ભકતો ત્યાં જળ અર્પણ કરી ધન્યતા અનુભવે છે.