અનંત અંબાણી તિરુપતિ બાલાજીના ચરણોમાં નતમસ્તક
અનંત અંબાણી તિરુપતિ બાલાજીના ચરણોમાં નતમસ્તક
Published on: 28th June, 2026

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ તિરૂમલા ખાતે ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા બાદ એક મોટો સેવા સંકલ્પ લીધો છે. તેમણે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ને ₹27.5 કરોડની કિંમતની 25 હાઇટેક ઇલેક્ટ્રિક બસો દાનમાં આપવાની જાહેરાત કરી છે. આ સાથે, 50 ડ્રાઇવરોનો ખર્ચ પણ રિલાયન્સ ઉપાડશે. આ પહેલ શ્રદ્ધાળુઓ માટે પરિવહન સુવિધા સુધારવાની સાથે પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું છે. ચાર્જિંગ સ્ટેશનો પણ સ્થાપવામાં આવશે, જેનાથી કાર્બન ઉત્સર્જન ઘટશે.