મકાન મોડું મળવા પર ગ્રાહકને બિલ્ડર પાસેથી વળતર મળશે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
મકાન મોડું મળવા પર ગ્રાહકને બિલ્ડર પાસેથી વળતર મળશે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Published on: 28th June, 2026

સુપ્રીમ કોર્ટે ઘર ખરીદનારાઓના હિતમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેના મુજબ મકાનનો કબજો મળ્યા બાદ પણ, જો સોંપણીમાં વિલંબ થયો હોય તો ઘર ખરીદનારા આ વિલંબ માટે વળતર માગવાને હકદાર છે. આ ચુકાદો રેરા (RERA) અને ગ્રાહક સુરક્ષા ફોરમમાં પેન્ડિંગ અનેક મામલાઓમાં રાહત આપશે. સુપ્રીમે સ્પષ્ટ કર્યું કે માત્ર ચાવી મળવાથી ગ્રાહકોનો વળતર મેળવવાનો અધિકાર ખતમ થતો નથી, ભલે ફ્લેટ નિયત સમય મર્યાદામાં ન સોંપાય. આ નિર્ણય દિલ્હીની એક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બે દસકા જુના કેસ પર આધારિત છે, જ્યાં ગ્રાહકને મોડા મળેલા ફ્લેટ માટે વળતર મળ્યું.