રથયાત્રામાં 18 હાથીઓ પર લાગશે 360 Degree કેમેરા.
રથયાત્રામાં 18 હાથીઓ પર લાગશે 360 Degree કેમેરા.
Published on: 19th June, 2026

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં આ વર્ષે સુરક્ષા માટે ટેકનોલોજીનો અનોખો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રામાં જોડાનારા તમામ 18 હાથીઓ પર GPS ટ્રેકિંગ, 360 ડિગ્રી કેમેરા અને સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. આનાથી પોલીસ કંટ્રોલ રૂમમાંથી હાથીઓની હિલચાલ અને આસપાસની ભીડ પર નજર રાખી શકાશે. જો કોઈ હાથી રૂટ બદલશે તો તાત્કાલિક એલર્ટ મળશે. 360 ડિગ્રી કેમેરાથી લાઈવ ફીડ મળશે અને સાઉન્ડ-લેવલ મોનિટરિંગથી હાથીઓ પર અવાજના કારણે થતા તણાવનું ધ્યાન રખાશે.