ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં 1814 વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ગીતાના પાઠ ભણે છે.
નવી શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં UG અભ્યાસક્રમમાં ''શ્રીમદ્ ભગવદ્ ગીતા''નો સમાવેશ કરાયો. 1814 વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રીતે આ વિષય પસંદ કર્યો છે, જે આધુનિક પેઢીને ભારતીય મૂલ્યો સાથે જોડવાનો પ્રયાસ છે. આ કોર્સ મેનેજમેન્ટ, લાઈફ સ્કિલ્સ અને નિર્ણયશક્તિ કેળવવામાં મદદ કરે છે. યુનિવર્સિટી પ્રોપર સિલેબસ મુજબ પરીક્ષાઓ લે છે, જે વિદ્યાર્થીઓને જ્ઞાન અને માનસિક શાંતિ પ્રદાન કરે છે.
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં 1814 વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ગીતાના પાઠ ભણે છે.
ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન
અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે થોડા દિવસ પહેલા ભારતીય જહાજ પર હુમલો થયો હતો, જેને લઈને ભારત સરકારે મહત્ત્વની માહિતી આપી છે. સરકારે કહ્યું કે, ‘ઈરાને ઓમાનના દરિયાકાંઠા પાસે ગુજરાતના મુદ્રા પોર્ટ તરફ આવી રહેલા રાસાયણિક ટેન્કર પર ફાયરિંગ કર્યું હતું.’ આ હુમલા બાદ ભારતીય જહાજની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે. જોકે ભારત સરકાર સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશ પાસે પુરતા પ્રમાણમાં ફર્ટિલાઈઝર અને રસોઈ ગેસની પૂરવઠો હોવાની પણ સરકારે ખાતરી આપી છે.
ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન
રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિવ 'પાયલટ' પણ ભાજપમાં કરશે 'લેન્ડિંગ'?
આમ આદમી પાર્ટીના 10માંથી સાત સાંસદોએ પક્ષમાં બળવો કરીને ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલોટ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ગેહલોતે AAPના બળવાખોર સાંસદોની ઘટના બાદ પાયલોટ પર આડકરું નિશાન સાધ્યું છે. અશોક ગેહલોત પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સભા ગજવીને જયપુર પરત આવ્યા હતા. તેમણે જયપુર એરપોર્ટ પર પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘હવે સચિન પાયલોટના બંને પગ કોંગ્રેસમાં છે. તેઓ સંપૂર્ણ કોંગ્રેસ સાથે છે. મને આશા છે કે, તેઓ હવે કોંગ્રેસને છોડવાનું વિચારશે નહીં.’
રાઘવ ચઢ્ઢા બાદ હવે સચિવ 'પાયલટ' પણ ભાજપમાં કરશે 'લેન્ડિંગ'?
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી
ભારત-ન્યૂઝીલેન્ડે આજે નવી દિલ્હીમાં ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ડીલથી બંને દેશોમાં વેપાર, રોકાણ અને રોજગારમાં વધારો થશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલેન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી
ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર
ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે સૂર્યદેવ આકરા પાણીએ છે. સરેરાશ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. વધતી ગરમીને કારણે બીમારીઓનો ખતરો વધતા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જનતા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે જ હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ સક્રિય કરી દેવામાં આવ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે તાપમાન સતત ઊંચું રહે છે ત્યારે શરીરમાં અનેક સમસ્યાઓ ઉદભવે છે.
ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર
ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો: 123 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી
વૈશ્વિક ગ્રીન એનર્જી માર્કેટમાં મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારતીય સોલર મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે અમેરિકા તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો આવ્યો છે. અમેરિકાએ ભારતીય સોલર સેલ અને મોડ્યુલ્સની આયાત પર 123.04 ટકા જેટલી પ્રાથમિક એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય માત્ર એક ટેક્સ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારના દરવાજા લગભગ બંધ કરી દેનારો એક આર્થિક પ્રહાર છે. ફેબ્રુઆરીમાં લાદવામાં આવેલી કાઉન્ટરવેલિંગ ડ્યુટી અને હવેની એન્ટી-ડમ્પિંગ ડ્યુટી મળીને ભારતીય ઉત્પાદનો પર કુલ ટેક્સનો બોજ 234 ટકાથી પણ વધી ગયો છે.
ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો: 123 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી રેલીમાં શીશમહેલનો ઉલ્લેખ કરીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોલકાતામાં રેલીને સંબોધન કરીને કહ્યું કે, કેજરીવાલે જુદા રાજકારણનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ પોતાની નાની ગાડીમાં આવ્યા અને કરોડો રૂપિયાના શીશમહેલમાં જતા રહ્યા. રાહુલે કેજરીવાલ પર કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું હોવાનો, ભ્રષ્ટાચાર કર્યો હોવાનો, દિલ્હીમાં પ્રદૂષણ વધાર્યું હોવાનો અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર વખતે ઉભુ કરેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરી નાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
મુંબઈમાં બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું
મુંબઈથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પાયધુની વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે, સંબંધીઓ સહિત આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ આ દુર્ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે ડોકાડિયા પરિવારે રાત્રે ભોજનમાં બિરયાની ખાધી હતી. તેના થોડા સમય બાદ પરિવારના સભ્યોએ તરબૂચ પણ ખાધું હતું. પરંતુ મોડી રાત્રે અચાનક તમામની તબિયત બગડવા લાગી હતી. હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચારેયના કમકમાટીભર્યા મોત થયા હતા.
મુંબઈમાં બિરયાની ખાધા બાદ રાતે તરબૂચ ખાધું, એક જ પરિવારના ચારના મોત, રહસ્ય ઘેરાયું
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે. આ સાંસદોના જોડાણ બાદ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, આ મોટા ભંગાણને કારણે આમ આદમી પાર્ટીનું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી મર્યાદિત થઈ ગયું છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026) રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી.
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન
AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો તેઓ રાજ્યસભા સાંસદ ન હોત તો કોઈ પૂછતું નહીં. ભારદ્વાજે કહ્યું, ‘તમારે પાર્ટી છોડવી હતી, છોડી શકતા હતા, લોકો તમને ગાળો ન આપતા. ગાળો એટલે આપવામાં આવી રહી છે કે તમે તમારી પાર્ટી જેણે તમને બધું આપ્યું, આજે તમારા લગ્ન પણ થઈ શક્યા છે ને, તો એટલા માટે કે તમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા, નહીંતર કોઈ તમને પૂછતું નહીં. તમને તે પાર્ટીથી કોઈ પણ નારાજગી હોય તમારી, તમે સમગ્ર કાવતરું કર્યું. આખી ટીમને તમે તોડીને લઈ ગયા. ગમે તેટલી દલીલો આપો, લોકો તમને ગાળો સાચી આપી રહ્યા છે.’
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
દેશના ૪૫ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૦ લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી દીધી છે. પંચની ટીમ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ કર્મચારી યુનિયનો સાથે બેઠકો કરી રહી છે. કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટર વધારીને ૩.૮૩૩ કરવાની અને લઘુત્તમ બેઝિક પે ₹૧૮,૦૦૦થી વધારીને ₹૬૯,૦૦૦ કરવા માટે મજબૂત માંગ કરી છે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થાની ગણતરી માટે નવી પદ્ધતિનું પણ સૂચન કરાયું છે, જેનાથી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે.
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ
રાજકારણમાં ગ્લેમર અને યુવા પેઢીના પ્રતિનિધિ ગણાતા રાઘવ ચઢ્ઢાએ આખરે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક કેન્ડિડ વીડિયો શેર કરીને તેમણે પક્ષ બદલવા પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે. ચઢ્ઢાએ સીધો પ્રહાર કરતા કહ્યું કે, જે પાર્ટીમાં તેઓ જોડાયા હતા તે હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમણે વર્તમાન સ્થિતિને ટોક્સિક વર્ક એન્વાયરમેન્ટ ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, હવે પાર્ટીમાં કામ કરતા અટકાવવામાં આવે છે અને સંસદમાં બોલવા પર પણ પાબંધી મૂકવામાં આવે છે.
ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી
ભારત હાલમાં વિશ્વનો સૌથી ગરમ દેશ છે, જ્યાં એપ્રિલ મહિનામાં જ તાપમાન 43 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે, વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 95 માત્ર ભારતમાં જ છે. ભારતીય હવામાન વિભાગના નકશામાં પણ દેશનો મોટાભાગનો હિસ્સો લાલ રંગમાં જોવા મળી રહ્યો છે. જે ગંભીર હીટવેવની સ્થિતિ દર્શાવે છે. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે ગરમીની આ લહેર વધુ લાંબી અને ઘાતક બની રહી છે. વિજ્ઞાનિઓના મોડલ્સ ચેતવણી આપી રહ્યા છે કે, વર્ષ 2026માં સુપર અલ-નીનો અથવા ગોડઝિલા અલ-નીનો ત્રાટકી શકે છે.
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી
જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને એક અત્યંત ભાવુક અને આકરો પત્ર લખ્યો છે. કેજરીવાલે દુઃખી મન સાથે આ પત્રમાં જણાવ્યું છે કે, તેમને હવે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પાસેથી ન્યાય મળવાની કોઈ આશા રહી નથી. આથી, તેમણે મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને 'સત્યાગ્રહ' કરવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતે કે તેમના વકીલ હવેથી જસ્ટિસ શર્માની કોર્ટમાં કોઈ પણ સુનાવણી માટે હાજર થશે નહીં.
જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય
શેરબજારની પોઝિટીવ શરૂઆત: સેન્સેક્સમાં ઉછાળો અને રોકાણકારોમાં આશાનું કિરણ.
એશિયન બજારોના સકારાત્મક સંકેતો વચ્ચે, ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. રોકાણકારોને આશા છે કે US અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થશે. ફાર્માસ્યુટિકલ, IT અને ઓટો શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો. BSE સેન્સેક્સ 76,856 પોઈન્ટ પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી-50 23,945 પર ખુલ્યો અને 24,000ને પાર કરી ગયો. એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી, જેમાં નિક્કી 225 અને KOSPI નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા.
શેરબજારની પોઝિટીવ શરૂઆત: સેન્સેક્સમાં ઉછાળો અને રોકાણકારોમાં આશાનું કિરણ.
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.
પશ્ચિમ બંગાળમાં PM મોદીની રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. પથ્થરમારો, ફાયરિંગ અને બોમ્બ ફેંકાયા, જેમાં CISF જવાન સહિત 3 ઘાયલ થયા. BJPનો આરોપ છે કે રેલીના પોસ્ટરો ફાડવામાં આવ્યા. ભાટપારાના BJP ઉમેદવારના ઘરે બોમ્બ ફેંકાયો. અમિત શાહના રોડ શો અને મમતા બેનર્જીની રેલી પણ યોજાશે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે અને બીજું મતદાન 29 એપ્રિલે થશે.
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.
બિહારમાં આંધી-તોફાન અને વીજળી પડવાથી ભારે તબાહી, 4 લોકોના મોત.
બિહારમાં અચાનક આવેલા આંધી-તોફાને ભારે તબાહી મચાવી. પવનની ગતિ 100 kmph સુધી પહોંચી, ઝાડ ઉખડી ગયા અને ટ્રાફિક જામ થયો. અનેક ઘરોના શેડ ઊડી ગયા. વીજળી પડવાથી 4 લોકોના મોત થયા. કટિહારમાં ત્રણ અને પૂર્ણિયામાં એક વ્યક્તિનું મોત થયું. સ્થાનિક પ્રશાસને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. IMD એ એલર્ટ આપ્યું હતું.
બિહારમાં આંધી-તોફાન અને વીજળી પડવાથી ભારે તબાહી, 4 લોકોના મોત.
ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન.
કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ પર ગોળીઓ ચાલવી જ જોઈએ, કારણ કે તેઓ દુનિયા પર દબદબો બનાવવા માંગતા હતા. વડેટ્ટીવારે એમ પણ કહ્યું કે ભારતમાં પણ જનતાનો મૂડ કંઈક આવો જ છે. તેમના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. "જેવી કરણી તેવી ભરણી".
ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન.
UP, રાજસ્થાન, મહારાષ્ટ્રના 7 શહેરોમાં તાપમાન 46°C થી વધુ.
દેશમાં ગરમી વધતા યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 શહેરોમાં તાપમાન 46°Cથી ઉપર ગયું, અકોલામાં 46.9°C નોંધાયું. બિહારના 11 જીલ્લામાં તાપમાન 40°C થી ઉપર અને આરામાં ગરમીથી શાળા કર્મચારીનું મૃત્યુ થયું. દેહરાદૂનમાં હીટવેવથી શાળાઓ બંધ અને પટના ઝૂમાં પ્રાણીઓ માટે AC/Cooler લગાવાયા. MP માં પણ શાળાઓ 30 એપ્રિલ સુધી બંધ.
UP, રાજસ્થાન, મહારાષ્ટ્રના 7 શહેરોમાં તાપમાન 46°C થી વધુ.
ધીરેન્દ્ર શાસ્ત્રીની માફી: છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ વિશેના નિવેદન બદલ માફી માંગી. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ નિવેદનનો ખોટો અર્થ કાઢ્યો. છત્રપતિ શિવાજી મહારાજનું સ્થાન સર્વોચ્ચ છે. તેમણે સંતો પ્રત્યેની મહારાજની ભક્તિની વાત કરી હતી, પરંતુ એક અંશ ખોટી રીતે ફેલાવવામાં આવ્યો. તેમણે ચાર બાળકોવાળા નિવેદન પર પણ સ્પષ્ટતા આપી અને RSSને પુત્ર આપવાનો અર્થ રાષ્ટ્રવાદી બનાવવો હોવાનું જણાવ્યું. તેમણે હિંદુ વસ્તી વધારવામાં યોગદાન આપવાની વાત કરી અને કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગી.
ધીરેન્દ્ર શાસ્ત્રીની માફી: છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
વિદ્યાર્થીઓએ પાણી અને વીજળીના મેનેજમેન્ટ માટે બનાવેલ ડિજિટલ પ્લેટફોર્મથી કામ સેકન્ડોમાં થશે.
IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ SSNNL માટે ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું, જેનાથી પાણી અને વીજળીની માહિતી લાઈવ જોઈ શકાશે. 53 હાઇડ્રો પાવર સ્ટેશન, સોલર પેનલ્સ અને પમ્પિંગ સ્ટેશનનો ડેટા એક જગ્યાએ મળશે. ડેટા સીધો અપલોડ થવાથી ભૂલો ઘટશે અને અધિકારીઓ લાઈવ માહિતી જોઈ શકશે. આથી હવે નર્મદા પ્રોજેક્ટનું મેનેજમેન્ટ આધુનિક બનશે.
વિદ્યાર્થીઓએ પાણી અને વીજળીના મેનેજમેન્ટ માટે બનાવેલ ડિજિટલ પ્લેટફોર્મથી કામ સેકન્ડોમાં થશે.
આજે મોહિની એકાદશી અને ધ્રુવ યોગનો શુભ સંયોગ.
આજે (27 April, 2026) ધ્રુવ યોગમાં મોહિની એકાદશીની ઉજવણી છે. વિષ્ણુ ભગવાનના મોહિની અવતારના પૂજનનું વિધાન છે. આ વ્રતથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. 26 April 2026 સાંજે 06:07 થી એકાદશી શરૂ થશે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરવો. જરૂરિયાતમંદોની મદદ કરો અને ગરીબોને ભોજન કરાવો.
આજે મોહિની એકાદશી અને ધ્રુવ યોગનો શુભ સંયોગ.
મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર
ઉત્તર ભારત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. હિમાલયન રાજ્યો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલમાં Heatwave. જમ્મુમાં 40 ડિગ્રી તાપમાન. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબમાં સરેરાશ તાપમાન 45 ડિગ્રીથી ઉપર. રવિવારે પણ આકાશમાંથી લૂ વરસતા કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો.
મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર
સ્વામિનારાયણ મંદિરના 205 સંતોના નામ મતદાર યાદીમાંથી ગાયબ: ગંભીર ત્રુટિ!
ભુજ પાલિકાની ચૂંટણીમાં મતદાર યાદીમાં મોટી ભૂલ સામે આવી, જેમાં સ્વામિનારાયણ મંદિરના આશરે 205 સંતોના નામ યાદીમાંથી ગાયબ હતા. SIR હેઠળ નામ સુધારણા વખતે પિતાનું નામ ફરજિયાત હતું, જ્યારે સંતો ગુરુનું નામ લખે છે. આથી ચૂંટણી તંત્રની ભૂલના કારણે સંતો મતદાનથી વંચિત રહ્યા, અને મંદિરમાં ચર્ચા થઈ કે ‘શરણે આવીને પાટીયા(નામો) કાઢી નાખ્યા’.
સ્વામિનારાયણ મંદિરના 205 સંતોના નામ મતદાર યાદીમાંથી ગાયબ: ગંભીર ત્રુટિ!
ન્યૂઝીલેન્ડનું ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ અને ભારત દ્વારા 95 ટકા વસ્તુઓ પર ટેરિફમાં ઘટાડો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે, જેમાં ન્યૂઝીલેન્ડ મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ અને ઇનોવેશન ક્ષેત્રમાં 15 વર્ષમાં 20 અબજ ડોલરનું રોકાણ કરશે. ન્યૂઝીલેન્ડના કોલસા, ઉન, બ્લૂબેરી, વાઇન સહિતની 95 ટકા વસ્તુઓ પર ભારત ટેરિફ ઘટાડશે અથવા રદ કરશે. હોર્મુઝ ખાડીની પરિસ્થિતિ વચ્ચે આ મહત્વપૂર્ણ કરાર થશે.
ન્યૂઝીલેન્ડનું ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ અને ભારત દ્વારા 95 ટકા વસ્તુઓ પર ટેરિફમાં ઘટાડો.
ટેક ઓફ થતાં જ વિમાનમાંથી ધુમાડો નીકળ્યો, 245 મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો.
દિલ્હીથી Zurich જતી ફ્લાઇટમાં ખામી સર્જાતા પાયલોટે તાત્કાલિક ઉડાન રદ કરી. વિમાનમાંથી બહાર નીકળવા ધક્કામુક્કીમાં ચાર મુસાફરો ઘાયલ થયા. દિલ્હી એરપોર્ટ પર ફુલ EMERGENCY જાહેર કરાઈ અને રનવે પર ફાયર ફાઇટર્સની ટીમો દોડી આવી. દિલ્હી એરપોર્ટનો દાવો છે કે મુસાફરો સુરક્ષિત છે.
ટેક ઓફ થતાં જ વિમાનમાંથી ધુમાડો નીકળ્યો, 245 મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો.
સાતેય વહાણ ડૂબ્યા!
પંજાબ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે AAP નવા વિચ્છેદનથી પીડાય છે. તેજસ્વી પ્રતિભા રાજકારણમાં નડે છે. Raghav Chadha ની શૈલી, વિઝન અને નેતૃત્વ ક્ષમતાને કારણે તેઓ Kejriwal ની આંખમાં ખટકવા લાગ્યા હતા. BJP ની જેમ હવે બધા પક્ષોને મૂર્ખ અને ઠોઠ લોકો જ વ્હાલા લાગે છે. આ લોકો પક્ષને જ કાળની ગર્તામાં વિલીન કરી દે છે.
સાતેય વહાણ ડૂબ્યા!
‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ભારતની વિદેશ નીતિ અને પાકિસ્તાન-અમેરિકા વચ્ચેના સંબંધો અંગે નિખાલસ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો પાકિસ્તાન અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરાવવામાં સફળ થાય તો પણ ભારતનું કદ નાનું નહીં થાય. વાસ્તવમાં કોંગ્રેસ પાકિસ્તાનની મધ્યસ્થતા મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરતી રહે છે અને મોદી સરકારની વિદેશ નીતિ પર પણ સવાલો ઉઠાવતી રહે છે.
‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન
અગનભઠ્ઠીમાં શેકાતું ભારત!
વિશ્વના 'ટોપ 100' સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતનો અગ્રેસર 25 એપ્રિલના હવામાન ડેટા મુજબ વૈશ્વિક સ્તરે સૌથી વધુ તાપમાન ધરાવતા 100 શહેરોમાંથી 99 શહેરો ભારતના છે. ટોપના 25 સૌથી ગરમ શહેરોમાંથી 24 તો એકલા ઉત્તર પ્રદેશમાં છે, જ્યારે બાકીનું એક ઉત્તરાખંડમાં છે. એટલે કે, ઉત્તર ભારતના મેદાનો ગ્લોબલ વોર્મિંગનું કેન્દ્રસ્થાન બની ગયા છે. ટોપ 50 ગરમ શહેરોની વાત કરીએ તો આ યાદીમાં એકલા ઉત્તર પ્રદેશના જ 32 શહેર છે, જ્યારે બિહારના 9, ઉત્તરાખંડના 3, મહારાષ્ટ્રના 2 તેમજ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને નેપાળના 1-1 શહેર છે.
અગનભઠ્ઠીમાં શેકાતું ભારત!
મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાંક્ષર
એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને હોર્મુઝને લઈ વિવાદ ચાલી રહ્યો છે, તો બીજીતરફ ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ લાંબા સમયના પ્રયાસ બાદ ભારત-ન્યૂઝીલેન્ડ આવતીકાલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સહી કરવાના છે. આ ડીલ બાદ બંને દેશો વચ્ચે વેપાર બમણો કરવાનું લક્ષ્યાંક રખાયું છે. PTIના રિપોર્ટ મુજબ, આવતીકાલે 27 એપ્રિલે દિલ્હીના ભારત મંડમમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાંક્ષર થશે. આ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટૉડ મૈક્લે ઉપસ્થિત રહેશે.
મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાંક્ષર
પંજાબ સરકારે Z+ હરભજનની સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનું કવચ
પંજાબના રાજકારણમાં પક્ષપલટા બાદ હવે સુરક્ષાને લઈને નવો વિવાદ છેડાયો છે. પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહના ઘરની બહાર થયેલા વિરોધ પ્રદર્શન અને પંજાબ સરકાર દ્વારા સુરક્ષા હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે હરભજન સિંહ સહિત ભાજપમાં જોડાયેલા તમામ 7 સાંસદોને CRPFની સુરક્ષા પૂરી પાડી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હરભજન સિંહ ઉપરાંત સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહનીને હવે કેન્દ્રીય સુરક્ષા દળોનું રક્ષણ મળશે.