NDA સંસદમાં બે-તૃત્યાંશ બહુમતી માટે કેમ તલપાપડ? TMC, ઠાકરે સેનામાં ખળભળાટ
NDA સંસદમાં બે-તૃત્યાંશ બહુમતી માટે કેમ તલપાપડ? TMC, ઠાકરે સેનામાં ખળભળાટ
Published on: 13th June, 2026

સંસદમાં સીમાંકન અને 'વન નેશન, વન ઈલેક્શન' જેવા દૂરોગામી ફેરફારો લાગુ કરવા માટે NDA સરકાર બંધારણીય સુધારાની જરૂરિયાતને કારણે બે-તૃતીયાંશ બહુમતી મેળવવા પ્રયાસ કરી રહી છે. એપ્રિલ 2026માં 131મું બંધારણીય સુધારો બિલ પસાર ન થઈ શક્યા બાદ, NDA 543 લોકસભા બેઠકો વધારીને 850 કરવાની યોજના ધરાવે છે. આ માટે 362 વોટની જરૂર છે, જે હાલમાં NDA પાસે નથી. TMC અને ઠાકરે સેનામાં બળવાથી NDAને ફાયદો થઈ શકે છે, પરંતુ હજી પણ 41 વોટ ખૂટે છે. રાજ્યસભામાં પણ NDA ને 15 વોટની જરૂર છે.