આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત
Published on: 13th June, 2026

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાનું એક AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, લેન્ડિંગ પ્રક્રિયા દરમિયાન વિમાનમાં અચાનક ખામી સર્જાતાં આ દુર્ઘટના બની હતી. એરબેઝ પર તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને ફાયરફાઈટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને વધુ વિગતો ઉપલબ્ધ થતાં અપડેટ આપવાનું જણાવ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને નુકસાન અંગે તપાસ ચાલી રહી છે.