ભારતમાં E22 થી E30 ફ્યૂઅલ: જાણો ડ્યુટી ઘટાડાનો સામાન્ય ગ્રાહક પર અસર
ભારતમાં E22 થી E30 ફ્યૂઅલ: જાણો ડ્યુટી ઘટાડાનો સામાન્ય ગ્રાહક પર અસર
Published on: 13th June, 2026

ભારતમાં પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઇલ આયાત પર નિર્ભરતા ઓછી કરવા સરકાર ઇથેનોલ બ્લેન્ડિંગ તરફ આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે E22 થી E30 પેટ્રોલ મિશ્રણો પર એક્સાઇઝ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે, જે ગ્રીન ફ્યુઅલના વપરાશને વેગ આપશે. જોકે, આ ફેરફાર સામાન્ય વાહન ચાલકો માટે તાત્કાલિક આર્થિક લાભ નહીં આપે. હાલ મોટાભાગના પેટ્રોલ પંપ પર E20 ઇંધણ ઉપલબ્ધ છે, જ્યારે E22-E30 ફ્યૂઅલ ફ્લેક્સ-ફ્યૂઅલ વાહનો (FFVs) માટે જ હશે. ઉચ્ચ ઇથેનોલ મિશ્રણ જૂના વાહનોમાં એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે અને માઇલેજ ઘટાડી શકે છે, તેમજ વોરંટી રદ થવાનું જોખમ પણ ઊભું કરી શકે છે.