Menu
વિસાવદર પેટાચૂંટણીમાં બે બુથ પર પુનઃમતદાન: માલીડા અને નવા વાઘણીયા ગામમાં AAPની બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ ફરી મતદાન શરૂ
વિસાવદર પેટાચૂંટણીમાં બે બુથ પર પુનઃમતદાન: માલીડા અને નવા વાઘણીયા ગામમાં AAPની બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ ફરી મતદાન શરૂ
Published on: 21st June, 2025

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે બે બુથ પર ફરીથી મતદાન યોજાયું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની બુથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. માલીડા ગામના બુથ નં. 86 અને નવા વાઘણીયા ગામના બુથ નં. 111 પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી 72.42% મતદાન થઈ ચૂક્યું છે. નવા વાઘણીયા બુથ પર કુલ 293 મતદારો છે, જેમાં 154 પુરુષ અને 139 સ્ત્રી સામેલ છે. અગાઉના મતદાનમાં અહીં 210 મતદારો મતદાન કર્યા હતા. ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ના કલમ 58 હેઠળ 19 જૂનનું મતદાન રદ કર્યું હતું.