વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ સ્વચ્છતા અભિયાન યોજાયું
વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ સ્વચ્છતા અભિયાન યોજાયું
Published on: 07th September, 2026

વાઘોડિયા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં એક સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્યએ જાતે સફાઈ કામગીરીમાં ભાગ લઈને નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. ST ડેપોથી જય અંબે ચોકડી સુધી યોજાયેલી આ ઝુંબેશમાં મુખ્ય માર્ગો પરથી કચરો દૂર કરાયો. આ કાર્યક્રમનો હેતુ લોકજાગૃતિ અને પર્યાવરણની સ્વચ્છતા જાળવવાનો હતો. નગરપાલિકાના પ્રમુખ, સંગઠન પ્રમુખ અને અન્ય અધિકારીઓ જોડાયા હતા.