Menu
વિસાવદર પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન તણાવ:પિયાવા ગામે કોળી-ઠાકોર સમાજની સભામાં પથ્થરમારાની ઘટના, મહિલા ઈજાગ્રસ્ત, કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યાં
વિસાવદર પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન તણાવ:પિયાવા ગામે કોળી-ઠાકોર સમાજની સભામાં પથ્થરમારાની ઘટના, મહિલા ઈજાગ્રસ્ત, કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યાં
Published on: 15th June, 2025

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન તારીખે 19 જૂનના રોજ યોજાનાર છે. ચૂંટણીની નજીક પહોંચતા ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિસ્તારના ગામડાઓમાં દિનરાત પ્રચાર પ્રસારમાં લીન છે. મતદારો સુધી પહોંચવા દરેક પક્ષ જાતિ આધારિત મંડળોને સાથે લઈ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે, શનિવારે રાત્રે પિયાવા ગામે કોંગ્રેસ તરફથી કોળી-ઠાકોર સમાજના મતદારો માટે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજ બાદ શરૂ થયેલી સભા દરમિયાન અચાનક કેટલાક અજાણ્યા તત્વોએ સભા સ્થળે પથ્થરમારો શરૂ કર્યો હતો. જેને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. આ ઘટનામાં બે મહિલાઓ ઘાયલ થઈ ગઈ હતી, જેમાંથી એકને માથામાં ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે વિસાવદર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.