'તેનો પગ લપસી ગયો હતો...' મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક.
'તેનો પગ લપસી ગયો હતો...' મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક.
Published on: 23rd June, 2026

મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા પરથી ૨૪ વર્ષીય કેતન અગ્રવાલના અકસ્માતથી મોતના કેસમાં પોલીસે તેની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરી દ્વારા કરાયેલી હત્યાનો પર્દાફાશ કર્યો છે. આગામી મહિને લગ્ન હોવા છતાં, ૧૯ જૂને સિયાના જન્મદિવસ પર બંનેએ કાવતરું રચી કેતનને ૩૫૦ ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો. અગાઉ સિયાએ બાલી ટ્રિપ કેન્સલ કરવા પોતાનો પાસપોર્ટ ફાડી નાખ્યો હતો અને કેતનને મારવાના બે અસફળ પ્રયાસો પણ કર્યા હતા. પોલીસે સેલ્ફી લેતા અકસ્માતની ખોટી વાર્તાને નકારીને ટેકનિકલ પુરાવા અને કોલ ડિટેઇલ્સના આધારે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.