રાજકોટમાં એનાલોગ પનીર પર મોટી કાર્યવાહી
રાજકોટમાં એનાલોગ પનીર પર મોટી કાર્યવાહી
Published on: 08th August, 2026

રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે એનાલોગ પનીર અને ભેળસેળયુક્ત દૂધની બનાવટો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના આદેશ બાદ રચાયેલ ટાસ્ક ફોર્સ દ્વારા આ સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, 8 પેઢીઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક તપાસ દરમિયાન, ત્રણ સ્થળોએથી 1165 કિલોગ્રામ શંકાસ્પદ માવો, મીઠાઈ અને અન્ય દૂધની પ્રોડક્ટ્સ જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત, 400 લીટર દૂધ અને કૃત્રિમ કલરના ડબ્બા પણ મળી આવ્યા હતા.