ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો!
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચે 27 ટકા OBC અનામત સાથે 11 વોર્ડની 44 બેઠકોનું નવું રોટેશન જાહેર કર્યું છે. નવા અનામત માળખાને કારણે ભાજપ અને કોંગ્રેસના અનેક વર્તમાન કોર્પોરેટરો તથા સિનિયર નેતાઓના ચૂંટણી સમીકરણો બદલાઈ ગયા છે. કુલ 31 બેઠકો અનામત અને 13 સામાન્ય રાખવામાં આવી છે. નવા રોટેશન બાદ પક્ષોમાં ટિકિટ અને વોર્ડને લઈને દોડધામ તથા રાજકીય ગરમાવો વધી ગયો છે.
ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો!
NEET પ્રદર્શનકારીઓ પરની FIR પાછી ખેંચશે ફડણવીસ સરકાર
NEET પેપર લીક આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર નોંધાયેલા કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બિહાર અને અસમ બાદ, હવે મહારાષ્ટ્ર સરકારે પણ વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી તમામ FIR પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. NEET પેપર લીક મામલે થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન બાદ વિવિધ રાજ્યોમાં FIR નોંધાઈ હતી. કેન્દ્ર સરકાર અને કોકરોચ જનતા પાર્ટી વચ્ચે થયેલી સમજૂતીમાં એક માંગણી હતી કે, ભાજપ શાસિત રાજ્યોમાં નોંધાયેલી FIR પાછી ખેંચવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દિશામાં કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.
NEET પ્રદર્શનકારીઓ પરની FIR પાછી ખેંચશે ફડણવીસ સરકાર
સાણંદ ઉમિયામાતા મંદિર ચોરી: રાજસ્થાનની ગેંગ પકડાઈ
અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલા સુપ્રસિદ્ધ ઉમિયામાતા મંદિર ચોરી કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ચોરી કરનાર રાજસ્થાનની શાતિર ગેંગના 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગે ગૂગલ મેપ અને સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા ચોરીનું આયોજન કર્યું હતું. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી અઢીથી ત્રણ કિલો ચાંદીનું છત્તર, 500 ગ્રામ ચાંદીની મૂર્તિ અને ગુનામાં વપરાયેલી બોલેરો ગાડી સહિત કુલ રૂ. 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ પોલીસથી બચવા માટે માનતા પણ રાખી હતી.
સાણંદ ઉમિયામાતા મંદિર ચોરી: રાજસ્થાનની ગેંગ પકડાઈ
પુત્રી પોલીસ સ્ટેશને પહોંચી: "મમ્મી મારા કરતાં નવા પપ્પા પર વધુ ધ્યાન આપે છે, પપ્પા મારપીટ કરે છે..."
વડોદરામાં માતાના બીજા લગ્ન બાદ પુત્રીએ નવા પિતા મારઝૂડ કરતા હોવાનો ગંભીર આક્ષેપ કરી પોલીસ પાસે મદદ માગી હતી. પુત્રીનું કહેવું છે કે, નવા પિતા કોઈ પણ વાત જાણ્યા વગર મારપીટ કરે છે અને માતા પણ તેમનો પક્ષ લે છે. પુત્રીએ નોકરી શરૂ કરતાં પિતા તેને સ્વછંદી સમજી ઝઘડા કરતા હતા. પોલીસે પુત્રી, માતા અને પિતાનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.
પુત્રી પોલીસ સ્ટેશને પહોંચી: "મમ્મી મારા કરતાં નવા પપ્પા પર વધુ ધ્યાન આપે છે, પપ્પા મારપીટ કરે છે..."
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસવે પર કાર પલટી મારી જતાં સળગી
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસવે પર ધોલેરા નજીક કાર પલટી જતાં તેમાં આગ લાગી હતી, જેમાં માતા અને તેમના એક વર્ષના પુત્રનું જીવતું દાઝી જવાથી મોત થયું હતું. અકસ્માત બાદ બંને કારમાંથી બહાર નીકળી શક્યા ન હતા. સ્થાનિકોની જાણ બાદ પોલીસ અને ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ગુનો નોંધી ઓવર સ્પીડ, યાંત્રિક ખામી સહિતના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસવે પર કાર પલટી મારી જતાં સળગી
દેશભરમાં ચોમાસું સક્રિય: 22 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ઉત્તરી આંતરિક ઓડિશા અને ગંગેય પશ્ચિમ બંગાળ પર બનેલું ઊંડું દબાણ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં અનેક રાજ્યોને પાર કરશે, જેના કારણે 29 જુલાઈના રોજ દેશના 22 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાનું ગંભીર એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ જેવા 5 રાજ્યોમાં વરસાદનું જોર સૌથી વધુ રહેશે.
દેશભરમાં ચોમાસું સક્રિય: 22 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ
ટ્રેક્ટર-ટ્રોલીમાં રાશન અને ગાદલાં લઈને નિકળ્યા ખેડૂતો
મધ્ય પ્રદેશમાં મગની MSP પર 100% ખરીદીની માંગ સાથે હજારો ખેડૂતો ભોપાલ તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે સરકાર પ્રતિ એકર માત્ર 1 ક્વિન્ટલ મગ MSP પર ખરીદે છે, જ્યારે બાકીનું ઉત્પાદન ઓછા ભાવે વેચવું પડતાં ભારે નુકસાન થાય છે. અનેક જિલ્લાઓના ખેડૂત સંગઠનો આંદોલનમાં જોડાયા છે અને પોલીસની બેરિકેડિંગ તોડીને આગળ વધ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.
ટ્રેક્ટર-ટ્રોલીમાં રાશન અને ગાદલાં લઈને નિકળ્યા ખેડૂતો
CJP ચીફની ચેતવણી: "વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરશો તો ફરી મોટું આંદોલન થશે"
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CJP ના ફાઉન્ડર અભિજીત દિપકે સ્પષ્ટ કર્યું છે કે જો પોલીસ વિદ્યાર્થીઓને હેરાન કરવાનું ચાલુ રાખશે, તો કોકરોચ જનતા પાર્ટી મોટા પાયે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કરશે. તેમણે કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાનું બંધ કરે, નહીંતર CJP ઉગ્ર વિરોધ કરશે. CJP નેતા સૌરવ દાસે પણ ચેતવણી આપી કે જો સરકાર વિદ્યાર્થીઓ સાથે કરેલો વાયદો તોડશે, તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્દેશ નંબર 4 પર ચિંતા વ્યક્ત કરી, જે FIR સાથે આગળ વધવાની મંજૂરી આપે છે.
CJP ચીફની ચેતવણી: "વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરશો તો ફરી મોટું આંદોલન થશે"
અમદાવાદમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓને નાણાકીય સહાય મળશે
અમદાવાદ શહેર અને જિલ્લા વિસ્તારમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે આર્થિક નુકસાન વેઠનારા નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે રાજ્ય સરકાર દ્વારા પુનઃવસન સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અસરગ્રસ્તોનો ધંધા-રોજગાર પુનઃ પૂર્વવત થઈ શકે તે માટે સહાય અને લોન પર વ્યાજ સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવાયો છે. આ સહાય પેકેજ અંતર્ગત અલગ-અલગ કેટેગરી મુજબ નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે, જેવી કે- બેંક લોન અને વ્યાજ સહાયની જોગવાઈઓ મહત્વની શરતો અને અમલીકરણ
અમદાવાદમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓને નાણાકીય સહાય મળશે
દેવભૂમિ દ્વારકામાં ખેડૂતો મેદાને!
દેવભૂમિ દ્વારકાના ખેડૂતો GSPLની ગેસ પાઇપલાઇન કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે જમીન, પાક અને મિલકતનો સંયુક્ત સર્વે કરી યોગ્ય વળતર નક્કી કર્યા બાદ જ કામગીરી શરૂ કરવામાં આવે. તેમણે ગેસ પાઇપલાઇનથી જમીનની કિંમત ઘટશે અને ખનીજ સંપત્તિ પર અસર પડશે તેવી ચિંતા વ્યક્ત કરી છે. ખેડૂતોનો આરોપ છે કે કંપની કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના કામ શરૂ કરવા માંગે છે, તેથી તેમણે બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે.
દેવભૂમિ દ્વારકામાં ખેડૂતો મેદાને!
બિલકિસ બાનો કેસમાં પ્રહલાદ જોશીનું જૂનું નિવેદન સામે આવતાં જ રાહુલ-પ્રિયંકા આક્રમક
ગુજરાતના બિલકિસ બાનો કેસના દોષિતોની મુક્તિ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીના જૂના નિવેદનને લઈને કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. જોશીએ કહ્યું હતું કે, 'મને આમાં કંઈ ખોટું લાગતું નથી, કારણ કે આ એક કાયદાકીય પ્રક્રિયા છે.' આ નિવેદન સામે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'ભાજપે એક એવા વ્યક્તિને બેસાડ્યા છે જે દુષ્કર્મીઓના રક્ષક છે?' પ્રિયંકા ગાંધીએ પૂછ્યું કે, 'વડાપ્રધાને નવા શિક્ષણ મંત્રી તરીકે એવા વ્યક્તિને સત્તા પર બેસાડ્યા છે જેમણે એક ગર્ભવતી મહિલાના દુષ્કર્મીઓની મુક્તિ પર પોતાની સંમતિ આપી હતી.'
બિલકિસ બાનો કેસમાં પ્રહલાદ જોશીનું જૂનું નિવેદન સામે આવતાં જ રાહુલ-પ્રિયંકા આક્રમક
અમદાવાદમાં કરિયાણા વેપારી પર હુમલાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો
અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગરમાં કરિયાણા વેપારી પર થયેલા જીવલેણ છરી હુમલા કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર રાજેશકુમાર મહીડાની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે ₹4 લાખની આર્થિક લેવડદેવડના વિવાદને કારણે તેણે વેપારીની હત્યા કરાવવા માટે ₹30 હજારની સોપારી આપી હતી. ડાઈંગ ડિકલેરેશન અને અન્ય પુરાવાના આધારે પોલીસે સમગ્ર કાવતરાનો ભેદ ઉકેલી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
અમદાવાદમાં કરિયાણા વેપારી પર હુમલાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો
કંગનાને Gen-Z અંગે શરમજનક નિવદન કરવું પડ્યું ભારે!
ભાજપ સાંસદ કંગના રનૌતે CJP પ્રદર્શન દરમિયાન કેટલીક યુવતીઓ અને Gen-Z અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ અને CJPએ તેમના નિવેદનોની આકરી ટીકા કરી અને નેતાઓને સંયમિત ભાષાનો ઉપયોગ કરવાની સલાહ આપી. CJPના પ્રવક્તા સૌરવ દાસે પલટવાર કરતા કહ્યું કે, 'કંગનાને તેમની પાર્ટીના લોકો જ ગંભીરતાથી નથી લેતા તો અમે કેમ લઈએ? નેતાઓએ પોતાની ભાષા મર્યાદામાં રાખવી જોઈએ. તમારા કરતા અનેક ઘણા વધુ કામ Gen-Zએ આ દેશ માટે કર્યા છે અને લોકશાહીમાં ભરોસો પાછો જગાવ્યો છે.'
કંગનાને Gen-Z અંગે શરમજનક નિવદન કરવું પડ્યું ભારે!
પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી પર કર્યો ગંભીર આક્ષેપ
લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો, જેમાં ચર્ચાનો સમય 6 કલાકથી વધારી 10 કલાક કરવામાં આવ્યો. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પેપર લીકથી વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન પહોંચ્યાનો આરોપ લગાવી સરકાર અને શિક્ષણ નીતિની ટીકા કરી. તેમણે નવા શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી પર ગંભીર ટિપ્પણી કરતાં કહ્યું કે, "વડાપ્રધાને એવા વ્યક્તિને શિક્ષણ મંત્રી બનાવ્યા છે, જેમણે ગર્ભવતી રેપ પીડિતાના દોષિતોની મુક્તિ પર સંમતિ આપી હતી." આ ટિપ્પણીથી સંસદમાં ભારે હોબાળો મચ્યો હતો, જેના પગલે ભાજપે પ્રિયંકા ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો.
પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી પર કર્યો ગંભીર આક્ષેપ
અખિલેશ યાદવ: "એક પ્રધાનને હટાવી બીજાને બચાવી લીધા, 10 વર્ષમાં 20 પેપર લીક"
લોકસભામાં લોક પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, 'ધર્મેન્દ્ર પ્રધાનને હટાવીને, 'પ્રધાન'ને બચાવી લેવાયા.' યુવાનોના આંદોલનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, 'ઝુકાવવાવાળો જોઈએ, તો સરકાર પણ ઝૂકે છે.' તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ વચન નહીં, માત્ર જુમલા આપે છે. તેમણે કહ્યું કે, ૧૦ વર્ષમાં ૨૦ જેટલી ભરતી પરીક્ષાઓના પેપર લીક થઈ ચૂક્યા છે. NTA જેવી સંસ્થાનું કામ પણ આઉટસોર્સ કરી દેવાયું છે.
અખિલેશ યાદવ: "એક પ્રધાનને હટાવી બીજાને બચાવી લીધા, 10 વર્ષમાં 20 પેપર લીક"
PM મોદીની અધ્યક્ષતામાં હાઇ-લેવલ મિટિંગ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે પ્રમુખ મંત્રાલયોના સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઈરાન-અમેરિકા સંઘર્ષના કારણે ઊભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતની રણનીતિક પ્રતિક્રિયા અંગે ચર્ચા થવાની શક્યતા છે. નાણાં અને ઉદ્યોગ મંત્રાલયો દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, જે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને આર્થિક સુધારાઓને આગળ વધારવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત જાળવી રાખવાનો અને મોટા આર્થિક નિર્ણયો તેમજ સુધારાઓને આગળ ધપાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
PM મોદીની અધ્યક્ષતામાં હાઇ-લેવલ મિટિંગ!
જિતેન્દ્ર સિંહે પેપર લીક મુદ્દે સંસદમાં UPA શાસનના કિસ્સા ગણાવ્યા
લોકસભામાં Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill-2026 રજૂ કરાયું છે. કેન્દ્રીય મંત્રી Jitendra Singh એ ચર્ચા દરમિયાન UPA શાસનમાં થયેલા રેલવે, જોઈન્ટ એન્ટ્રન્સ, AIEEE, AIIMS, PSC અને SSC જેવી અનેક પરીક્ષાઓના પેપર લીકનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જો UPA સમયના તમામ પેપર લીકના કિસ્સા જણાવવા બેસીશ તો બિલ પર ચર્ચા નહીં થઈ શકે. આ નવા સુધારામાં દોષિતો માટે સજા અને દંડમાં મોટો વધારો તેમજ 2 મહિનામાં તપાસ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની જોગવાઈ છે.
જિતેન્દ્ર સિંહે પેપર લીક મુદ્દે સંસદમાં UPA શાસનના કિસ્સા ગણાવ્યા
અખિલેશના પ્રહાર: 'પ્રધાનને હટાવી પ્રધાનમંત્રી ને બચાવ્યા, સ્થિતિ ઇમરજન્સી કરતાં ખરાબ'
લોકસભામાં પેપર લીક અંગે ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે NTA અને શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે સરકારની દાનત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. અખિલેશે કહ્યું કે જેઓ રામ મંદિરમાં ચોરી રોકી શક્યા નથી, તેઓ પેપર લીક કેવી રીતે રોકશે? પ્રાથમિક શાળાઓ બંધ કરવા અને NTAમાં આઉટસોર્સિંગના જોખમો પર પણ તેમણે પ્રકાશ પાડ્યો. NEET પીડિત પરિવારો માટે 1 કરોડ રૂપિયા વળતરની માંગ કરી અને વર્તમાન સ્થિતિને ઇમરજન્સી કરતાં પણ ખરાબ ગણાવી.
અખિલેશના પ્રહાર: 'પ્રધાનને હટાવી પ્રધાનમંત્રી ને બચાવ્યા, સ્થિતિ ઇમરજન્સી કરતાં ખરાબ'
સમસ્ત બ્રહ્મ સમાજ-રાજકોટ દ્વારા સંચાલિત યોજનાનો વિદ્યાર્થી ઈસરોમાં બન્યો સાયન્ટિસ્ટ
સમસ્ત બ્રહ્મ સમાજ-રાજકોટ દ્વારા સંચાલિત ‘જ્ઞાન સંકલ્પ’ યોજનાના તેજસ્વી વિદ્યાર્થી પ્રણવ જોશી, જેણે ધોરણ 9 થી 12 સુધી વિનામૂલ્યે શિક્ષણ મેળવ્યું, તે હવે ઈસરોમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે નેનો સેટેલાઇટ પ્રોજેક્ટ પર કાર્યરત છે. સિમેન્સ કંપનીમાં ચાર વર્ષની ઇન્ટર્નશિપ મેળવનાર પ્રણવનું સંશોધન પેપર પણ ઈસરોના જર્નલમાં પ્રકાશિત થયું છે. આ યોજનાનો ઉદ્દેશ આર્થિક રીતે જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી તેમને સક્ષમ બનાવવાનો છે, અને પ્રણવની સિદ્ધિ આ યોજનાની સાચી સફળતા દર્શાવે છે.
સમસ્ત બ્રહ્મ સમાજ-રાજકોટ દ્વારા સંચાલિત યોજનાનો વિદ્યાર્થી ઈસરોમાં બન્યો સાયન્ટિસ્ટ
ગુજસીટોકના આરોપી રામદેવ ડાંગરને હથિયાર આપનાર જસ્મીન કોઠારી ઝડપાયો
રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં ફાયરિંગ કેસમાં આરોપી રામદેવ ડાંગરને ગેરકાયદે હથિયાર પૂરું પાડનાર જસ્મીન કોઠારીનો એસઓજીએ સાબરમતી જેલમાંથી કબ્જો મેળવ્યો છે. તપાસમાં સામે આવ્યું કે જસ્મીન બોટાદના હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ દરમિયાન ફરાર થયો હતો. પોલીસે હથિયાર સપ્લાયની સમગ્ર કડી બહાર લાવવા માટે તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
ગુજસીટોકના આરોપી રામદેવ ડાંગરને હથિયાર આપનાર જસ્મીન કોઠારી ઝડપાયો
રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ત્રણ નવા એશિયાઈ સિંહબાળનો જન્મ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક પ્રાણીઉદ્યાનમાં વધુ એક ખુશીનો પ્રસંગ આવ્યો છે, જ્યાં સિંહણ ધરતીએ ત્રણ સુંદર એશિયાઈ સિંહબાળને જન્મ આપ્યો છે. માતા અને ત્રણેય બચ્ચાં હાલ સંપૂર્ણ સ્વસ્થ છે અને ઝૂ તંત્ર દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ નવા આગમન સાથે, રાજકોટ ઝૂમાં એશિયાઈ સિંહોની કુલ સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં, આ પ્રાણીઉદ્યાનમાં કુલ 58 એશિયાઈ સિંહબાળનો સફળતાપૂર્વક જન્મ નોંધાયો છે, જે એક મોટી સિદ્ધિ છે. અહીંનું કુદરતી વાતાવરણ અને આધુનિક સુવિધાઓને કારણે, ઝૂ 70 પ્રજાતિઓના 614 વન્યપ્રાણી-પક્ષીઓ સાથે પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ત્રણ નવા એશિયાઈ સિંહબાળનો જન્મ
₹1.56 કરોડના જમીન કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર ઉમંગ ઠક્કરની સુરત પોલીસે કરી ધરપકડ
સુરતના ખોલવડ રિયલ એસ્ટેટ ફ્રોડ કેસમાં અમદાવાદના જાણીતા બિલ્ડર ઉમંગ ઠક્કર (પતંગ હોટેલ માલિક)ની સુરતની કામરેજ પોલીસે ધરપકડ કરી છે. 'સત્ય સંકલ્પ બિલ્ડકોન એલએલપી'ના ભાગીદારો સામે પણ ગુનો નોંધાયો છે. આરોપીઓએ અન્યને ટ્રાન્સફર થયેલ પ્લોટ વેચીને છેતરપિંડી આચરી હતી. 'સહજાનંદ નિર્વાણ' નામના વેન્ચરમાં પુષ્પકભાઈ પટેલે ₹65.59 લાખ જમા કરાવ્યા બાદ જાણવા મળ્યું કે પ્લોટ વર્ષ 2018માં જ વેચાઈ ગયો હતો. કુલ ₹1.56 કરોડની છેતરપિંડીના કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
₹1.56 કરોડના જમીન કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર ઉમંગ ઠક્કરની સુરત પોલીસે કરી ધરપકડ
રીક્ષામાં હાથ ચાલાકી: રૂ.96 હજારની સોનાની બુટી ચોરી
વડોદરામાં જાહેર રિક્ષામાં મુસાફરી દરમિયાન એક મહિલાની થેલી કાપીને રૂ.96 હજારની સોનાની બુટી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જવેલર્સ પાસેથી નવી ખરીદેલી બુટી થેલીમાં રાખ્યા બાદ, અજાણી મહિલા સાથે રિક્ષામાં બેઠેલી મહિલાને ઘરે પહોંચતા ચોરીની જાણ થઈ. પોલીસે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે અજાણી મહિલાની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ જાહેર પરિવહનમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
રીક્ષામાં હાથ ચાલાકી: રૂ.96 હજારની સોનાની બુટી ચોરી
અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઈટમાંથી 35 લાખથી વધુનું સોનું ઝડપાયું
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દુબઈથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી તેના શરીરમાં છુપાવેલી 244.16 ગ્રામ (24 કેરેટ) સોનાની પેસ્ટ રિકવર કરી 35.84 લાખ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. DRI ની ગુપ્ત માહિતીના આધારે, ફ્લાઇટ નંબર FZ 437 માંથી ઉતરેલી શંકાસ્પદ મુસાફરને રોકી તપાસ કરાઈ હતી. આ સોનાની દાણચોરી પાછળના નેટવર્ક અને તેના મૂળ સ્ત્રોત શોધવા માટે કસ્ટમ્સ અને DRI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઈટમાંથી 35 લાખથી વધુનું સોનું ઝડપાયું
વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા આરોપી પાસેથી ફરી મોબાઇલ મળ્યો
વડોદરા મધ્યસ્થ જેલમાં ફરી એકવાર કાચા આરોપી પાસેથી મોબાઇલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. નિયમિત ઝડતી દરમિયાન આરોપી હુસન કાદરમિયા સુન્નીના હાથના બાવડામાંથી સીમકાર્ડ વગરનો મોબાઇલ અને બેટરી મળી આવી હતી. જેલ પરિસરમાં મોબાઇલ રાખવા પર પ્રતિબંધ હોવાથી, આરોપી સામે પ્રિઝન એક્ટ અને જાહેરનામાના ભંગ બદલ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મોબાઇલની વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા આરોપી પાસેથી ફરી મોબાઇલ મળ્યો
સુરતની બે પાલિકા શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની પ્રેરણાદાયી શિક્ષણ સેવા
સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં શિક્ષકોની અછત વચ્ચે, બે નિવૃત્ત શિક્ષકો, શશીકલાબેન વ્યાસ અને દેવજીભાઈ લાઠીયા, કોઈપણ વેતન કે લાભની અપેક્ષા વિના, ગરીબ અને અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. શશીકલાબેન નિવૃત્તિ બાદ પણ શાળા નંબર-130 અને હવે શાળા નંબર-139 માં વિદ્યાર્થીઓનો અભ્યાસ સુધારવા પ્રયાસરત છે. દેવજીભાઈ ત્રણ વર્ષથી ઉત્રાણ સ્થિત શાળામાં ચાર કલાક સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે. તેમનું સમર્પણ અને નિઃસ્વાર્થ સેવા ભાવ સમાજ માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે સાચા ગુરુ પગાર નહીં, પણ સમર્પણથી ઓળખાય છે.
સુરતની બે પાલિકા શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની પ્રેરણાદાયી શિક્ષણ સેવા
જામનગર BAMS પેપર લીક: અમદાવાદમાં યુથ કોંગ્રેસ, NSUIનો દેખાવો
જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS પેપર લીક પ્રકરણનો વિરોધ અમદાવાદ પહોંચ્યો. NSUI અને યુથ કોંગ્રેસે ઇન્કમટેક્સ ચાર રસ્તા પર રાજ્ય સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા કાર્યકરોની અટકાયત કરી. કોંગ્રેસે શિક્ષણમંત્રી પર બેદરકારીનો આરોપ મૂક્યો અને જ્યાં સુધી તેઓ રાજીનામું નહીં આપે ત્યાં સુધી રાજ્યવ્યાપી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી.
જામનગર BAMS પેપર લીક: અમદાવાદમાં યુથ કોંગ્રેસ, NSUIનો દેખાવો
અમદાવાદ દરિયાપુરમાં જર્જરિત મકાન ધરાશાયી
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક જર્જરિત ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું. સોમવારે મોડી રાત્રે મન્સૂરી મહોલ્લામાં બનેલી આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી એક વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
અમદાવાદ દરિયાપુરમાં જર્જરિત મકાન ધરાશાયી
જે.જી. યુનિવર્સિટીમાં ATKT મુદ્દે ABVPનો દેખાવો
અમદાવાદની જે.જી. યુનિવર્સિટીમાં ATKT (બહુવિધ વિષયોમાં નાપાસ) ના મુદ્દે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ABVPનો દાવો છે કે 500થી વધુ વિદ્યાર્થીઓના પૂરક પરીક્ષા પાસ કરવા છતાં આગલા સેમેસ્ટરમાં પ્રવેશ ન મળતાં તેમનું વર્ષ બગડી રહ્યું છે. વિદ્યાર્થી નેતાઓએ અભ્યાસક્રમ રીશેડ્યુલ કરવાની અને વાઇસ ચાન્સેલરની ગેરહાજરી સામે પણ રોષ વ્યક્ત કર્યો. જોકે, યુનિવર્સિટીના રજિસ્ટ્રારે સ્પષ્ટતા કરી કે નિયમો મુજબ 4 કે તેથી ઓછી ATKT ધરાવતા વિદ્યાર્થીઓને પ્રમોટ કરાયા છે. તેમણે 500 વિદ્યાર્થીઓના દાવાને ખોટો ગણાવી, માત્ર 125 વિદ્યાર્થીઓ જ નિયમોના કારણે પ્રમોટ થયા નથી તેમ જણાવ્યું.
જે.જી. યુનિવર્સિટીમાં ATKT મુદ્દે ABVPનો દેખાવો
સુરતમાં શાળાના ધાબા પર વીજ કરંટથી ધોરણ 9ના વિદ્યાર્થીનું અકાળે મોત
સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16માં શાળા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના ધાબા પર મુકવામાં આવેલા લાઈટના લોખંડના થાંભલામાંથી વીજ કરંટ લાગવાના કારણે ધોરણ 9માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મહમદ સલીમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શાળા કેમ્પસમાં ભારે અરેરાટી સાથે વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. વાયરિંગની ખામી કે ખુલ્લા વાયરને કારણે કરંટ આવી રહ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં શાળાના ધાબા પર વીજ કરંટથી ધોરણ 9ના વિદ્યાર્થીનું અકાળે મોત
‘આ ગટર છાપ જનરેશન, ના ભણવામાં હોંશિયાર ના ઘર સંભાળી શકે...’ કંગનાનો બફાટ
ભાજપ સાંસદ કંગના રણૌતે જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓને 'ગટર જનરેશન' કહી સોશિયલ મીડિયા પર કરેલી ટિપ્પણી બાદ વિવાદ સર્જાયો છે. તેમણે આજની યુવા પેઢી, ખાસ કરીને યુવતીઓની જીવનશૈલી અને વર્તન અંગે આકરી ટીકા કરી હતી. તેમના નિવેદનોને લઈને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે વિરોધ થયો, જ્યારે કેટલાક લોકોએ સમર્થન પણ આપ્યું. કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓએ કંગનાના નિવેદનોની નિંદા કરીને તેમની ટીકા કરી.