મમતા-ઉદ્ધવના બળવાખોર સાંસદોને PM મોદીનું આશ્વાસન: "ચિંતા ના કરશો, હું તમારી સાથે છું"
મમતા-ઉદ્ધવના બળવાખોર સાંસદોને PM મોદીનું આશ્વાસન: "ચિંતા ના કરશો, હું તમારી સાથે છું"
Published on: 07th August, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે જૂથથી અલગ થયેલા સાંસદો સાથે એક મહત્ત્વપૂર્ણ બ્રેકફાસ્ટ મીટિંગ યોજી, જ્યાં તેમણે તમામને ચિંતા ન કરવાની અને હંમેશા તેમની સાથે હોવાનું આશ્વાસન આપ્યું. આ બેઠકને NDAને એક પરિવાર ગણાવી, સાંસદોને સંસદની કાર્યવાહીમાં સક્રિય ભાગ લેવા અને સંસદીય ઇતિહાસનો અભ્યાસ કરી ચર્ચાઓની તૈયારી કરવા પ્રેરિત કર્યા. રાજ્યોના સર્વાંગી વિકાસ અને PMO સાથે સીધા સંપર્ક દ્વારા વિકાસ કાર્યોમાં આવતી અડચણો દૂર કરવા પર ભાર મૂક્યો.