4000 કિમી સુધી પ્રહાર સક્ષમ ‘અગ્નિ-4’ મિસાઈલનું ભારતે કર્યું સફળ પરીક્ષણ
4000 કિમી સુધી પ્રહાર સક્ષમ ‘અગ્નિ-4’ મિસાઈલનું ભારતે કર્યું સફળ પરીક્ષણ
Published on: 07th August, 2026

ભારતે ઓડિશાના ચાંદીપુર ખાતેથી પરમાણુ ક્ષમતા ધરાવતી ‘અગ્નિ-4’ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. 4,000 કિલોમીટર સુધીની પ્રહાર ક્ષમતા ધરાવતી આ મિસાઈલ ચીન અને મધ્ય એશિયા સુધી અચૂક નિશાન સાધવા સક્ષમ છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લોન્ચિંગ દરમિયાન તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો સફળતાપૂર્વક પ્રમાણિત થયા છે. ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલી ‘અગ્નિ-4’ મિસાઈલ 1,000 કિલોગ્રામ સુધીના વોરહેડ વહન કરી શકે છે. આ પરીક્ષણ ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ અને ડીઆરડીઓ ના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું, જે ભારતની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે.