'અમારો આશરો છીનવાયો હવે ક્યાં જવું': મોંઘવારીથી મહિલાઓ ત્રાહિમામ અને 'સારું કામ કરશે એને મત આપીશું'.
'અમારો આશરો છીનવાયો હવે ક્યાં જવું': મોંઘવારીથી મહિલાઓ ત્રાહિમામ અને 'સારું કામ કરશે એને મત આપીશું'.
Published on: 10th April, 2026

ભાવનગર મનપાની ચૂંટણી ટાણે વોર્ડ-1(ચિત્રા-ફુલસર-નારી)માં સ્થાનિકો સુવિધાઓના અભાવથી ત્રસ્ત છે. દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં મતદારો સફાઈ, ગટર, પાણી અને ડિમોલિશનથી પરેશાન છે, જયારે ભાજપ-કોંગ્રેસ વિકાસના દાવા કરે છે. સ્થાનિકો સમસ્યા દૂર કરે તેને મત આપવા તૈયાર છે. કેટલાક મતદારોએ ગટરની લાઈન ન હોવાની અને આંગણવાડીની પણ સમસ્યા હોવાની વાત કરી હતી. ભાજપના કાર્યકર્તાઓએ 82 મકાન પડાવી આશરો છીનવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના કાંતિ ચૌહાણે સત્તાધારી પક્ષ પર આક્ષેપ કર્યા હતા.