Menu
અજિત પવારના કાર્યક્રમમાં પ્રાદેશિક પક્ષના કાર્યકરો ધસી આવ્યા અને ધમાચકડી મચાવી, જાણો શું હતી માગ
અજિત પવારના કાર્યક્રમમાં પ્રાદેશિક પક્ષના કાર્યકરો ધસી આવ્યા અને ધમાચકડી મચાવી, જાણો શું હતી માગ
Published on: 15th June, 2025

રાજ્યમાં ખેડૂતોને લોન માફી આપવામાં આવે તેમ જ દિવ્યાંગોને છ હજાર રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે એવી માગણી સાથે ભૂતપૂર્વ ધારાસભ્ય બચ્ચુ કડુની પાર્ટી પ્રહાર જનશક્તિ પક્ષના કાર્યકરો પૂણેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારના કાર્યક્રમમાં ધસી આવીને જોરદાર હોબાળો મચાવ્યો હતો. ગત સાત દિવસથી પ્રહાર પક્ષના પ્રમુખ બચ્ચુ કડુ ખેડૂતોની લોન માફી માટે આમરણ ઉપવાસ પર બેઠા છે. તેમની માગણીઓ માન્ય કરવી જોઈએ એવા મુદ્દે ધસી આવીને કાર્યકરોએ અજિત પવાર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા અને કાર્યક્રમ વિક્ષેપ પાડયો હતો. બીજી તરફ બચ્ચુ કડુએ આંદોલન સ્થગિત કરીને બીજી ઓક્ટોબરની મુદત આપી છે. પૂણે ખાતે નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે કેટલાક પ્રહાર જનશક્તિ પાર્ટીના કાર્યકરો અચાનક આવીને કૃષિ લોન માફી અને બચ્ચુ કડીની રાજ્ય સરકારે 17 માગણીઓ મંજૂરી કરવી એવો આગ્રહ કરીને ધમાચકડી મચાવી હતી.