પૂર્વ કુલપતિના ધમપછાડા, માનીતા ડૉ.હરેશ પટેલને VC બનાવવા પ્રયાસ
પૂર્વ કુલપતિના ધમપછાડા, માનીતા ડૉ.હરેશ પટેલને VC બનાવવા પ્રયાસ
Published on: 05th August, 2026

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ ડૉ.કે બી કથિરીયા પોતાના માનીતા ડૉ.હરેશ પટેલને આગામી 5 વર્ષના કાર્યકાળ માટે કુલપતિ પદે સત્તારૂઢ કરાવવા ભારે પ્રયાસ કરી રહ્યા છે. ડૉ.પટેલ કથિરીયાના નજીકના હોવાથી, તેમની વીસીપદે નિમણૂંક માટે શતરંજની બાજી રમાઈ રહી છે. છેલ્લા બે મહિનાથી અનેક દાવેદારોએ લોબિંગ કર્યું છે. યુનિવર્સિટીના હિતમાં ડૉ.રાજાબાબુને તક મળે તે યોગ્ય રહેશે. પૂર્વ કુલપતિની લોબી રાજકીય સબંધો દ્વારા ડૉ.હરેશ પટેલની નિમણૂંક માટે દિવસ-રાત એક કરી રહી છે.