અમદાવાદ કાલુપુર ₹1.44 કરોડ નકલી નોટો કેસ
અમદાવાદ કાલુપુર ₹1.44 કરોડ નકલી નોટો કેસ
Published on: 03rd July, 2026

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી ₹1.44 કરોડની નકલી ચલણી નોટો સાથે પકડાયેલા બે આરોપીઓને અમદાવાદ સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે. પોલીસ તપાસમાં ગંભીર ક્ષતિઓ, સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ અને પુરાવાના અભાવને કારણે સરકાર પક્ષ આરોપીઓ વિરુદ્ધનો ગુનો સાબિત કરી શક્યો નથી. પોલીસે આરોપી વિકાસ નરેન્દ્ર શર્મા પાસેથી 2000 રૂપિયાની 7,240 નકલી નોટો કબજે કરી હતી, જેની કુલ કિંમત ₹1,44,80,000 થતી હતી. જોકે, પંચનામામાં અને સાક્ષીઓના નિવેદનોમાં થયેલ વિસંગતતા અને પુરાવાના અભાવે કોર્ટે બંને આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુક્યા છે.